કોરોના વેક્સિનેશનમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ, 5 માર્ચના રોજ 15 લાખ લોકોએ લીધી કોરોનાની રસી
ભારતે Corona વાયરસ સામેની લડતમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 5 માર્ચે કોરોના વાયરસ સામે રસીકરણના બીજા તબક્કામાં 15 લાખ લોકોને ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતે Corona વાયરસ સામેની લડતમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 5 માર્ચે કોરોના વાયરસ સામે રસીકરણના બીજા તબક્કામાં 15 લાખ લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. જે એક દિવસમાં સૌથી વધારે હોય છે. દેશમાં રસીકરણની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ હતી અને 5 માર્ચ સુધી દેશભરમાં 1 કરોડ 94 લાખ લોકોને Coronaની રસી આપવામાં આવી છે. સરકારી સૂત્રોએ આ માહિતી ન્યૂઝ એજન્સીને આપી છે.
હાલ દેશમાં Corona રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ સિવાય 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોઈ ગંભીર રોગનો ભોગ બનેલા લોકોને રસી આપવામાં આવી રહી છે. રસીનો બીજો ડોઝ પણ 13 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. આ રસી તે લોકોને આપવામાં આવી રહી છે, જેમણે પ્રથમ ડોઝ લીધા પછી 28 દિવસ પૂર્ણ કર્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે રસીકરણ અભિયાનના 49માં દિવસે શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી કોવિડ -19 રસીના કુલ 10,34,672 ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાં 8,25,537 લાભાર્થીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે 2,09,135 લોકોને બીજી ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શનિવારે ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 18,327 નવા કેસ આવ્યા છે, જેની કુલ સંખ્યા વધીને 11192088 થઈ છે. દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસો ફરી સક્રિય થયા છે.
આ પણ વાંચો: આઝાદીના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે દેશભરમાં ઉજવાશે અમૃત મહોત્સવ, કાર્યક્રમો 12 માર્ચથી શરૂ થશે