AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1247 નવા કેસ આવ્યા, ફરી એક્ટિવ કેસમાં વધારો થયો

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના (Covid-19)  1,247 નવા કેસ નોંધાયા છે. નવા કોરોના કેસ બાદ એક્ટિવ કેસોની (Corona Active Case) કુલ સંખ્યા વધીને 4,30,45,527 થઈ ગઈ છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1247 નવા કેસ આવ્યા, ફરી એક્ટિવ કેસમાં વધારો થયો
Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 9:55 AM
Share

Corona Update:  ભારતમાં કોરોના વાયરસના  (Coronavirus) કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના (Covid-19)  1,247 નવા કેસ નોંધાયા છે. આ પહેલા સોમવારે દેશમાં 2183 નવા કેસ (Corona active cases) નોંધાયા હતા. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 928 લોકોને રજા આપવામાં આવી છે અને માત્ર 1 વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયુ હતુ. દેશમાં એક દિવસમાં કોરોના વાયરસના ચેપના 1,247 નવા કેસ નોંધાયા બાદ એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને 4,30,45,527 થઈ ગઈ છે, જ્યારે દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 11,860 પર પહોંચી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કોરોના મહામારીના કારણે જીવ ગુમાવનારા દર્દીની સંખ્યા વધીને 5,21,966 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.03 ટકા છે, જ્યારે કોરોના સંક્રમણ મુક્ત લોકોનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે. ડેટા અનુસાર, સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 4,25,11,701 થઈ ગઈ છે, જ્યારે કોરોનાને કારણે મૃત્યુ દર 1.21 ટકા છે. મંત્રાલયે કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 186.72 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાથી મૃત્યુ પામેલા 70 ટકા થી વધુ લોકોને અન્ય રોગોથી પિડીત

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામેલા 70 ટકાથી વધુ લોકોને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયે તેની વેબસાઈટ પર કહ્યું કે તેનો ડેટા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના સામે રસીકરણનો વ્યાપ વધારવા અને લોકોને રસીકરણની ગતિ ઝડપી બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોવિડ-19ની વેક્સિન બધા લોકોને ઉપલબ્ધ કરાવવા માટે 21 જૂન 2021થી નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં 4 કરોડ કેસ નોંધાયા હતા

ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર, 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ, તે 30 મિલિયનને વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને વટાવી ગયો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાએ ફરી ટેન્શન વધાર્યું, પોઝિટીવીટી રેટ 8 ટકાની નજીક, 24 કલાકમાં નોંધાયા 501 કેસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">