ગુજરાતમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા, કોરોનાથી 01 દર્દીનું મોત
રાજયમાં ધીરેધીરે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. અને, કોરોનાની સ્થિતિ થાળે પડી હોય તેવું લાગી રહ્યું છે. આજે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાને કારણે 01 દર્દીનું મોત થયું છે.
રાજયમાં (Gujarat) ધીરેધીરે કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. અને, કોરોનાની સ્થિતિ થાળે પડી હોય તેવું લાગી રહ્યું છે. આજે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાને કારણે 01 દર્દીનું મોત (Death) થયું છે.
જિલ્લાવાર કોરોનાની સ્થિતિ પર એક નજર કરીએ તો, અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ 31 નવા કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના નવો 01 જ કેસ નોંધાયો છે. જયારે વડોદરામાં કોરોનાના 16 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 3 કેસ, તાપીમાં 4 કેસ, બનાસકાંઠામાં 3 કેસ, ભાવનગરમાં 02 કેસ, દાહોદમાં 02 કેસ, ડાંગમાં 02 કેસ, રાજકોટમાં 03 કેસ, અમરેલીમાં 01 કેસ, મહેસાણા-પાટણ-વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. જયારે કોરોનાને કારણે ગીર સોમનાથ જિલ્લામાં 01 દર્દીનું મોત થયું છે.
રાજયમાં હાલ કોરોનાના કુલ એક્ટીવ કેસ 914 છે. જેમાં 06 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જયારે 908 દર્દી સ્ટેબલ સ્થિતિમાં છે. કોરોનાને કારણે રાજયમાં કુલ મૃત્યુઆંક 10,935 છે.
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોંધાયા હતા. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો. જ્યારે આજે 100થી ઓછા 71 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પામ ઓઈલના ભાવ આસમાને પહોચ્યા, જથ્થાબંધ ભાવમાં રેકોર્ડ 400 ડોલર પ્રતિ ટનનો વધારો થયો