IMAએ પતંજલિની કોરોનિલ પર ઉઠાવ્યા સવાલ, આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન પર લગાવ્યા આરોપ

કોરોનાના ઈલાજ માટે લોન્ચ કરવામાં આવેલી બાબા રામદેવની આયુર્વેદિક દવા કોરોનીલ ફરી વિવાદમાં આવી છે. પતંજલિ દ્વારા તાજેતરમાં આ દવા લોન્ચ કરવામાં આવી હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દવાના ક્લિનીકલ ટ્રાયલ અને એની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા છે.

IMAએ પતંજલિની કોરોનિલ પર ઉઠાવ્યા સવાલ, આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન પર લગાવ્યા આરોપ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 23, 2021 | 11:58 AM

કોરોનાના ઈલાજ માટે લોન્ચ કરવામાં આવેલી બાબા રામદેવની આયુર્વેદિક દવા કોરોનીલ ફરી વિવાદમાં આવી છે. પતંજલિ દ્વારા તાજેતરમાં આ દવા લોન્ચ કરવામાં આવી હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દવાના ક્લિનીકલ ટ્રાયલ અને એની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન પર નારાજગી વ્યક્ત કરી છે. IMAએ એમના પર ભારતીય ચિકિત્સા પરિષદના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે અને ઘણા સવાલ પૂછ્યા છે. આ ઉપરાંત કોરોનીલને ગેરમાર્ગે દોરવાવાળી દવા ગણાવી છે.

એસોસિએશનના સેક્રેટરી જનરલ ડૉ.જયેશ એમ. લેલેએ જણાવ્યું હતું કે “ડો.હર્ષવર્ધન સહિતના બે કેન્દ્રીય પ્રધાનો ખાનગી કંપનીની આયુર્વેદિક દવાને લોન્ચ કરવા માટે હાજર હતા. તે પ્રોગ્રામમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ દાવાને પ્રમાણિત કરી છે. ડબ્લ્યુએચઓએ આ બાદ જણાવ્યું હતું કે આવું કોઈ પ્રમાણપત્ર આપ્યું નથી, તેમજ WHOનું આવું પ્રમાણપત્ર તબીબી વિશ્વમાં અસ્તિત્વમાં નથી. તેના માટે કેટલાક ધોરણો છે. આ લોકોને ગેરમાર્ગે દોરવાની દવા છે. આ દવા રોગને મટાડવાની જગ્યાએ વધારશે.”

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ડબ્લ્યુએચઓની દક્ષિણ પૂર્વ એશિયા પ્રાદેશિક કચેરીએ પણ તેના ટ્વિટર હેન્ડલમાં ત્રણ દિવસ પહેલા જ ટ્વિટ કર્યું હતું કે ડબ્લ્યુએચઓએ કોઈપણ પરંપરાગત દવાઓની સમીક્ષા કરી નથી અને ન તો તેણે કોઈ પ્રમાણિત પત્ર જારી કર્યું છે. તેણે કહ્યું કે ડો. હર્ષવર્ધન પોતે ડોક્ટર છે, એમસીઆઈમાં નોંધાયેલા છે. તેથી ડ્રગ અને કોસ્મેટિક એક્ટ હેઠળ કોઈ પણ દવાને પ્રોત્સાહન આપી શકે નહીં. તેમણે કહ્યું કે આ દવાને લોન્ચ કરવા આયોજિત કાર્યક્રમમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કોરોનાની સારવારમાં તેમજ સંરક્ષણમાં અસરકારક છે. આવી સ્થિતિમાં લોકો રસી લેશે નહીં. આ રસીકરણ અભિયાનને અસર કરી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવવું જોઈએ કે આ દવાનું ક્યારે અને કેટલા લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું. સંપૂર્ણ પુરાવા લોકો સામે રાખવા જોઈએ.

આ પણ વાંચો: કોરોનાએ માથું ઉચક્યું, તો રાજ્યો વચ્ચેની દીવાલો ઉંચી થઇ, જાણો આવન જાવનમાં શું આવ્યા ફેરફાર

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">