છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં Coronaના નવા 323 પોઝિટિવ કેસ, 2 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં કોરોનાના નવા કેસ તેમજ એક્ટીવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 323 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 2 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં કોરોનાના નવા કેસ તેમજ એક્ટીવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 323 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 2 દર્દીઓના મોત થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં 441 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 96.99 ટકા થયો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3,469 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 41 છે. જ્યારે 3,428 લોકો સ્ટેબલ છે. 2,53,368 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,387 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 2 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે.
આ પણ વાંચો: Agusta Westland Scam: 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં અનુપ ગુપ્તાની ધરપકડ
Latest Videos
Latest News