ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો ગુજરાત સરકારનો નિર્ણય

કોરોનાના કપરાકાળને ધ્યાને લઈને પાક ધિરાણ ( crop loan ) ભરપાઈ કરવાની મુદત વધારીને 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.

ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો ગુજરાત સરકારનો નિર્ણય
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ( ફાઈલ તસવીર )
Follow Us:
| Updated on: May 02, 2021 | 7:22 PM

ગુજરાતમાં કોરોનાકાળમાં ખેડૂતોને રાહત આપતો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની ( crop loan  )રકમ ચૂકવવામાં રાહત આપવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતલક્ષી નિર્ણયની જાહેરાત કરતા કહ્યુ છે કે, ખેડૂતોએ સહકારી મંડળીઓ સંસ્થામાંથી મેળવેલા પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત વધારીને 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. રાજ્યના સહકારી ધિરાણ માળખા હેઠળના ખેડૂતો માટે રાજ્ય સરકારના 4 ટકા તેમજ કેન્દ્ર સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે, ગુજરાતના ખેડૂતોને સાત ટકા વ્યાજ ધિરાણની મદદ કરવાને કારણે, ગુજરાત સરકાર ઉપર વધારાનો 16.30 કરોડનો બોજો આવશે. પરંતુ કોરોનાના આવા કપરાકાળમાં ખેડૂતોને મદદ કરવાનો સંતોષ રાજ્ય સરકારને છે.

આ પહેલા ગુજરાત સરકારે, કોરોનાકાળમાં ગુજરાતની જનતાને સારી અને ઝડપી સારવાર મળી રહે તે હેતુથી, વિદેશથી આયાત થતી, આરોગ્યલક્ષી સાધન સામગ્રી ઉપર વસુલાતા આઈજીએસટી વેરો રાજ્ય સરકારે ભોગવવાનો નિર્ણય કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે, સ્વૈચ્છિક સામાજીક સંગઠનો, કોપોરેટ કંપની કે વ્યક્તિ દ્વારા મેડિકલ ઑક્સીજન, ઑક્સિજન સિલીન્ડર, ઑક્સીજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટીલેટર્સ, વેક્સીન, રેમડેસીવીર ઈન્જેક્શન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરવામાં વસૂલતો વેરો ગુજરાત સરકારે ભોગવવાનું નક્કી કર્યું છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">