Delhi High Court : જે કોઈ પણ Oxygen રોકશે તેને અમે ફાંસીએ લટકાવી દઈશું
Delhi High Court એ કહ્યું કે દિલ્હી સરકારને સ્થાનિક વહીવટના આવા અધિકારીઓ વિશે પણ કેન્દ્રને જાણ કરવા જણાવ્યું હતું જેથી તે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે.
Delhi High Court : દિલ્હીમાં પહેલાથી જ કોવીડ દર્દીઓની સંખ્યા વધુ છે અને હવે Oxygen ના અભાવથી દિલ્હીની હોસ્પિટલોની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક પછી એક ઘણી હોસ્પિટલો ઓક્સીજનના સપ્લાય માટે અરજ કરી રહી છે. ઓક્સિજનના અભાવ અંગે મહારાજા અગ્રસેન હોસ્પિટલ દ્વારા એક અરજી કરવામાં આવી છે. શનિવારે આ અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટ દ્વારા કડક ટિપ્પણી કરવામાં આવી છે.
Oxygen રોકશે તેને અમે ફાંસીએ લટકાવી દઈશું દિલ્હીમાં ઓક્સિજનની અછત આજે પાંચમાં દિવસે પણ યથાવત છે. Delhi High Court એ ઓક્સિજનના પુરવઠામાં અડચણ અંગે નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હી હાઈકોર્ટે શનિવારે કહ્યું હતું કે જો કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક વહીવટનો કોઈ અધિકારી ઓક્સિજનના સપ્લાયમાં અડચણ ઉભી કરે છે, તો અમે તે વ્યક્તિને ફાંસીએ લટકાવી દઈશું. આ ટિપ્પણીઓ મહારાજા અગ્રસેન હોસ્પિટલની અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિપિન સંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની ખંડપીઠે આવી હતી.
મહારાજા અગ્રસેન હોસ્પિટલે કરી હતી અરજી ગંભીર રીતે બીમાર કોવિડ દર્દીઓ માટે ઓક્સિજનના અભાવ અંગે મહારાજા અગ્રસેન હોસ્પિટલે Delhi High Court માં અરજી કરી છે. કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે ઓક્સિજનના સપ્લાય કોણ રોકે છે?, કોર્ટે કહ્યું કે અમે તે વ્યક્તિને ફાંસીએ ચડાવીશું. ખંડપીઠે કહ્યું કે અમે કોઈને છોડીશું નહીં. કોર્ટે દિલ્હી સરકારને સ્થાનિક વહીવટના આવા અધિકારીઓ વિશે પણ કેન્દ્રને જાણ કરવા જણાવ્યું હતું જેથી તે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે.
હાઈકોર્ટની ટીપ્પણી પર કેન્દ્રનો જવાબ ઓક્સિજનના સપ્લાય અંગે કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ Delhi High Court ને કહ્યું કે ફક્ત ખાલી ટેન્કર જ એરલિફ્ટ દ્વારા દુર્ગાપુર મોકલવામાં આવે છે અને મોકલી શકાય છે. પરંતુ ભર્યા પછી તેમને એરલિફ્ટ કરી શકાતા નથી. જો આ ટેન્કર દિલ્હી આવે છે, તો તેની મોનિટરિંગની વ્યવસ્થા હોવી જરૂરી છે. કઈ હોસ્પિટલમાં કેટલો ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે તે જોઇ શકાય છે. તેને ટીકા તરીકે ન લેવી જોઈએ. હું પણ દિલ્હીનો રહેવાસી છું.
અગ્રસેન હોસ્પિટલમાં ઓક્સીજનની અછત ઓક્સિજનની અછતનો સામનો કરી રહેલી અગ્રસેન હોસ્પિટલએ Delhi High Court માં કેન્દ્ર સરકારની તરફેણ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે અમારી પાસે 306 દર્દીઓ છે અને 106 ગંભીર છે. ગઈકાલથી અમે તેમના નોડલ ઓફિસરથી લઈને દરેક અધિકારીનો સંપર્ક કરી રહ્યા છીએ અને અમને કહ્યું હતું કે ઓક્સિજન પૂરો પાડવાની સૂચિમાં અમારું નામ પણ નથી. અમે શું કરીએ?