Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: કોવિડ-19 રસીનો બગાડ ન કરો, એક્સપાયરી રસીની અદલા-બદલી કરો, કેન્દ્રએ રાજ્યોને આપ્યો નિર્દેશ

ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 6,561 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,29,45,160 થઈ ગઈ છે. તે જ સમયે, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 77,152 થઈ ગઈ છે.

Corona Vaccine: કોવિડ-19 રસીનો બગાડ ન કરો, એક્સપાયરી રસીની અદલા-બદલી કરો, કેન્દ્રએ રાજ્યોને આપ્યો નિર્દેશ
Corona Vaccine - Symbolic ImageImage Credit source: coutresy- Tv9 Bharatvarsh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 6:49 PM

કેન્દ્ર સરકારે (Central Government) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ કોવિડ-19 રસીને (Corona Vaccine) સરકારી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ લાંબા ગાળાના ડોઝ સાથે બદલવા જણાવ્યું છે. ધ્યાનમાં લેવા જણાવ્યું છે કે જેની ઉપયોગની મુદત નજીકના ભવિષ્યમાં પુરી થવા જઈ રહી છે. તેનો હેતુ રસીઓનો વ્યય ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે તાજેતરમાં ખાનગી કોવિડ-19 રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ બિનઉપયોગી રસીઓના મુદ્દે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો હતો. અગાઉ પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રને પણ આ સંદર્ભે સૂચના જાહેર કરવામાં આવી હતી.

કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાનગી રસીકરણ કેન્દ્રો સાથે મળીને કોવિડ-19 રસીની ઉપલબ્ધતાની નિયમિત સમીક્ષા કરવા પણ કહ્યું છે. અધિક સચિવ વિકાસ શીલે પત્રમાં જણાવ્યું હતું કે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ કરવામાં આવે છે કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો વચ્ચે કોવિડ-19 રસીની જૂની (વહેલી સમાપ્ત થતી રસીઓ) અને નવી (લાંબા ગાળાના ઉપયોગની) શીશીઓના વિનિમય સામે કોઈ વાંધો નથી.

ખાતરી કરો કે સરકારી અથવા ખાનગી રસીકરણ કેન્દ્રોમાં રસીની એક પણ ડોઝ વેડફાઈ ન જાય. કો-વિન પોર્ટલ પર કોવિડ-19 રસીના વિનિમય માટેની જોગવાઈ ઉપલબ્ધ છે.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 6,561 નવા કેસ સામે આવ્યા

બીજી તરફ, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 6,561 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,29,45,160 થઈ ગઈ છે. તે જ સમયે, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 77,152 થઈ ગઈ છે. દેશમાં સતત 25 દિવસથી સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા એક લાખથી ઓછી રહી છે. ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા અનુસાર, દેશમાં ચેપને કારણે વધુ 142 લોકોના મોત થયા બાદ, મૃત્યુઆંક વધીને 5,14,388 થઈ ગયો છે.

હાલમાં દેશમાં 77,152 લોકો કોરોના વાયરસના સંક્રમણની સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 8528 નો ઘટાડો નોંધાયો છે. નવા ડેટા અનુસાર, ચેપનો દૈનિક દર 0.74 ટકા અને સાપ્તાહિક દર 0.99 ટકા નોંધાયો હતો. રિકવરીની વાત કરીએ તો છેલ્લા એક દિવસમાં 14,947 લોકો કોવિડથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,23,38,673 લોકો સાજા થયા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 177.79 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : corona update: કોરોનાના કેસમાં સતત ઘટાડો, 97 ટકા પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો

આ પણ વાંચો : UP Election: વારાણસીમાં મમતા બેનર્જીએ કહ્યું- હું મરવા તૈયાર છું, હું ડરવાની નથી, ભાજપની હાર નિશ્ચિત છે

g clip-path="url(#clip0_868_265)">