Covid 19 Update: UPનાં CM યોગી આદિત્યનાથ પણ થયા કોરોના પોઝીટીવ, ટ્વીટ કરીને આપી જાણકારી
Covid 19 Update: ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ કોરોના પોઝીટીવ થયા છે. આ વાતની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી. જણાવી દઈએ કે આ પહેલા પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે.
Covid 19 Update: ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ કોરોના પોઝીટીવ થયા છે. આ વાતની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી. જણાવી દઈએ કે આ પહેલા પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે શરૂઆતમાં લક્ષણ દેખાયા બાદ મે કોવીડની તપાસ કરી લીધી કે જેમાં મારો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવી હતી. હાલમાં હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને તજજ્ઞો સાથે વાતચીત કરીને તબીબોએ આપેલી સલાહનું ચુસ્ત પાલન કરી રહ્યો છું.
शुरुआती लक्षण दिखने पर मैंने कोविड की जांच कराई और मेरी रिपोर्ट पॉजिटिव आई है।
मैं सेल्फ आइसोलेशन में हूं और चिकित्सकों के परामर्श का पूर्णतः पालन कर रहा हूं। सभी कार्य वर्चुअली संपादित कर रहा हूं।
— Yogi Adityanath (@myogiadityanath) April 14, 2021
અખિલેશ યાદવ પણ કોરોના પોઝીટીવ
સપાનાં અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાજવ પણ કોરોના પોઝીટીવ થઈ ગયા છે અને તેમણે ટ્વીટ કરીને જ માહિતિ આપી હતી કે તેમને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ઘર પર જ તેમનો ઉપચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે જે લોકો તેમનાં સંપર્કમાં આવ્યા હોય તે તેમનો રીપોર્ટ કઢાવી લે.
अभी-अभी मेरी कोरोना टेस्ट की रिपोर्ट पॉज़िटिव आई है। मैंने अपने आपको सबसे अलग कर लिया है व घर पर ही उपचार शुरू हो गया है।
पिछले कुछ दिनों में जो लोग मेरे संपर्क में आये हैं, उन सबसे विनम्र आग्रह है कि वो भी जाँच करा लें। उन सभी से कुछ दिनों तक आइसोलेशन में रहने की विनती भी है।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 14, 2021
આઈસોલેટ છે સીએમ
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારથીજ તેમને આઈસોલેટ કરી લીધા હતા. તે સમગ્ર કામકાજ હમણા પોતાનાં ઘરેથી વર્ચ્યુઅલી જ કરી રહ્યા છે. કોરોના પર થતી રોજની મિટીંગ 11ની બેઠકને પણ તેમણે વર્ચ્યુઅલી જ સંબોધી હતી. આદિત્યનાથે મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમનાં કાર્યાલયનાં અમુક અધિકારી કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે અને તેમના સંપર્કમાં હોવાને લઈને તે પણ આઈસોલેટ થઈ ગયા છે.
કોરોના સંક્રમણનાં મામલામાં દેશમાં બીજા નંબર પર યૂપી
કોરોના સંક્રમણનાં મામલમાં યૂપી હવે દેશમાં બીજા નંબર પર પહોચી ગયું છે. આંકડાઓ પ્રમાણે ઉત્તરપ્રદેશમાં રોજ આવનારા અને કન્ફર્મ થઈ રહેલા કેસ પાછલા મહિનાની સરખામણીએ 204% વધી ગયા છે. મંગળવારે અહીંયા એક જ દિવસમાં 18021 નવા કેસ રિપોર્ટ થયા. 24 કલાકમાં 85 કોવીડ દર્દીઓનાં મોત થયા છે.