COVAXIN : ‘વાછરડાના સીરમનો રસીમાં ઉપયોગ કરવામાં આવતો નથી’, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું સ્પષ્ટીકરણ
COVAXIN : કોરોના રસી અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ્સ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
COVAXIN : કોરોના રસી અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ્સ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કેટલાક સોશ્યલ મીડિયા પોસ્ટ્સ દ્વારા કોવેક્સિન વિશે કરવામાં આવતા દાવાઓ મામલે સ્પષ્ટતા આપી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સિન બનાવવા માટે કરવામાં આવે છે.
આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા તથ્યોને વિકૃત કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ વેરો કોષો બનાવવા માટે થાય છે. આ વેરો કોષો વાયરલ વૃદ્ધિ દરમિયાન નાશ પામે છે. આ સમય દરમિયાન વિકસિત કોઈપણ વાયરસનું મૃત્યુ પણ થાય છે. તેના પછી બાકી રહેલા વેરો સેલ્સનો ઉપયોગ રસી બનાવવા માટે કરવામાં આવે છે.
There have been some social media posts regarding composition of the COVAXIN where it has been suggested that COVAXIN contains the newborn calf serum. Facts have been twisted and misrepresented in these posts: Ministry of Health and Family Welfare pic.twitter.com/F4twaqut6y
— ANI (@ANI) June 16, 2021
આ તકનીકનો ઉપયોગ ઘણી રસી બનાવવા માટે કરવામાં આવતો હતો. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે પ્રાણી સીરમ એક પ્રમાણભૂત ઘટક છે, જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં વેરો કોષોના વિકાસ માટે થાય છે. વેરો કોષો બનાવવા માટે વપરાય છે. જે રસીના ઉત્પાદનમાં મદદ કરે છે. આ તકનીકીનો ઉપયોગ દાયકાઓથી પોલિયો, હડકવા અને ઈન્ફલ્યુએન્ઝાની રસી બનાવવા માટે કરવામાં આવે છે.
વેરો સેલ કેટલીકવાર રસાયણોથી ધોવાઇ જાય છે મંત્રાલયે કહ્યું કે વેરો કોષો વિકસિત થયા પછી, તેઓ પાણી અને રસાયણોથી ઘણી વખત સંપૂર્ણ રીતે સાફ થાય છે, જેથી તેઓ નવજાત વાછરડાના સીરમથી મુક્ત થાય છે. આ પછી, વેરો કોષોને કોરોના વાયરસનો ચેપ લગાવાય છે, જેથી કોરોના વાયરસ વિકસી શકે. આ પ્રક્રિયામાં વેરો કોષો સંપૂર્ણ નાશ પામે છે. આ પછી વિકસિત વાયરસ પણ નાશ (નિષ્પ્રભાવી) અને સાફ થઈ જાય છે. આ વાયરસ કે જેનો નાશ થયો છે અથવા નિષ્પ્રભાવી કરવામાં આવ્યો છે તે આખરે રસી બનાવવા માટે વપરાય છે.
અંતિમ રસીમાં ઉપયોગ થતો નથી આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે અંતિમ રસી બનાવવામાં વાછરડાના સીરમનો ઉપયોગ થતો નથી. અંતિમ રસી (COVAXIN) માં સંપૂર્ણપણે કોઈ નવજાત વાછરડાનું સીરમ હોતું નથી અથવા તેના કોઈપણ ઘટકોનો સમાવેશ થતો નથી.
કોંગ્રેસે RTI દસ્તાવેજ વહેંચીને દાવો કર્યો છે આ અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક ગૌરવ પંથીએ આ મામલે આરટીઆઈ જવાબ શેર કર્યો છે. દસ્તાવેજ વહેંચતા તેમણે લખ્યું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ વિકાસ પટણી નામના વ્યક્તિની આરટીઆઈ પર આ જવાબ આપ્યો છે. ગૌરવે કહ્યું કે નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સિન બનાવવા માટે થાય છે. તેમણે કહ્યું કે આ સીરમ 20 દિવસથી ઓછા સમયના વાછરડાની છે. અગાઉ એક સંશોધન પેપરમાં કહેવામાં આવ્યું હતું કે નવજાત પ્રાણીના લોહીના સીરમનો ઉપયોગ કોવેક્સિન બનાવવા માટે થાય છે.
In an RTI response, the Modi Govt has admitted that COVAXIN consists Newborn Calf Serum …..which is a portion of clotted blood obtained from less than 20 days young cow-calves, after slaughtering them.
THIS IS HEINOUS! This information should have been made public before. pic.twitter.com/sngVr0cE29
— Gaurav Pandhi (@GauravPandhi) June 15, 2021