અમેરિકી ડોકટરે આપી ચેતવણી, કહ્યું કે, બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, તેથી સંક્રમણથી બચો

ડૉ. ફહીમ યુનુસે કહ્યું કે જ્યારે તમે કોઈપણ વેરિઅન્ટથી સંક્રમિત થાવ છો, ત્યારે તમે થોડી રોગપ્રતિકારક શક્તિ બનાવો છો. આ તમને ભવિષ્યમાં વાયરસ સામે લડવાની સારી તક આપે છે.

અમેરિકી ડોકટરે આપી ચેતવણી, કહ્યું કે, બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, તેથી સંક્રમણથી બચો
Dr Faheem Younus ( PS : ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 6:53 AM

ભારતમાં કોરોનાના (Corona) વધતા જતા કેસો વચ્ચે અમેરિકાના સંક્ર્મણ રોગના નિષ્ણાત અને યુએસ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ડોક્ટર ફહીમ યુનુસે કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં(Third Wave) બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. તે એટલા માટે નથી કારણ કે બાળકો માટે વાયરસ વધુ ઘાતક છે. આ એટલા માટે છે કારણ કે સંક્ર્મણ ખૂબ વધારે છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ તમે કોઈને કોઈ વેરિઅન્ટથી સંક્રમિત થાઓ છો, ત્યારે તમે થોડી રોગપ્રતિકારક શક્તિ બનાવો છો. આ તમને ભવિષ્યમાં વાયરસ સામે લડવાની વધુ સારી તક આપે છે. તેથી, જો શક્ય હોય તો સંક્રમણથી બચો.

ડૉ. ફહીમે વધુમાં કહ્યું કે ડેલ્ટાથી સંક્રમિત લોકો હવે ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે. જે લોકો કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે, તેમની પાસે ભવિષ્યમાં અન્ય કોઈપણ વેરિઅન્ટ સામે લડવાની પ્રતિરક્ષા નહીં હોય. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ દેશ માટે મોટો ખતરો છે. અમેરિકામાં રસીના ડોઝ અને બૂસ્ટર ડોઝ બંને લેવા છતાં લોકો કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. અમેરિકામાં પણ કોરોનાની રસી સૌથી આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં દેશમાં દરેક બીજો વ્યક્તિ સંક્રમિત છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,38,018 નવા કેસ

જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,38,018 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 310 લોકોના મોત થયા છે. તે જ સમયે, 1,57,421 લોકો સાજા પણ થયા છે. તે જ સમયે, સોમવાર કરતા મંગળવારે ભારતમાં 20,071 ઓછા કેસ નોંધાયા છે. સોમવારે કોરોના વાયરસના 2,58,089 કેસ નોંધાયા હતા. હાલમાં દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 17,36,628 છે. તે જ સમયે, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 8,891 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 16,49,143 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 70,54,11,425 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં રસીકરણનો આંકડો 158 કરોડને પાર

જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં 158 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 39 લાખથી વધુ નવા લોકોને રસી આપવામાં આવી છે. તે જ સમયે, દેશના 76 ટકા લોકોને બીજા ડોઝ સાથે રફૂલી વેક્સીનેટેડ છે.

આ પણ વાંચો : Budget 2022: જાણો બજેટ બેગની બ્રીફકેસ થી ટેબ્લેટ સુધીની સફરગાથા ફોટો સ્ટોરી દ્વારા

આ પણ વાંચો : INS Ranvir Explosion: મુંબઈ નેવલ ડોકયાર્ડ ખાતે INS રણવીરમાં બ્લાસ્ટ, 3 નૌસૈનિકો શહીદ અને 11 ઘાયલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">