
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વટવા, દાણીલીમડા, નારોલ, ગોતા, નવરંગપુરા અને બોપલ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. હાલના તમામ દર્દીઓને તાત્કાલિક આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનો સંપર્ક કરીને તેમના પણ આરોગ્યની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 4 પુરુષ અને 3 મહિલા દર્દીઓ કોરોના પોઝિટિવ જણાયા છે.
આરોગ્ય વિભાગે લોકોને જાગૃત રહેવાની અને અનિવાર્ય ના હોય ત્યાં સુધી ભીડભાડવાળા વિસ્તારોમાં જવા ટાળવાની અપીલ કરી છે. આ ઉપરાંત કોરોનાની અગાઉ જાહેર કરેલ માર્ગદર્શિકાને અનુસરવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમા માસ્ક પહેરવુ, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.
દેશમાં કોરોનાની સ્થિતિ વધુ ચિંતાજનક ના થાય તે માટે રાજ્યના આરોગ્યવિભાગે પણ સાવચેતી દાખવીને કેટલાક સાવચેતીના પગલાંઓ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
Published On - 8:06 pm, Tue, 20 May 25