દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો, શું તમારે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ?

કોવિડના નવા વેરિએન્ટ જેએન.1ના કારણે કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ આ વેરિએન્ટના લગભગ 63 કેસ નોંધાઈ ચૂક્યા છે. કેરળ બાદ ઘણા રાજ્યોમાં આ વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે શું હવે કોરોના વેક્સિનનો ડોઝ લેવો જોઈએ.

દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો, શું તમારે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ?
Covid VaccineImage Credit source: File Image
Follow Us:
| Updated on: Dec 25, 2023 | 4:40 PM

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, સાથે જ કોરોનાથી મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. કોવિડના કેસ વધવાની વચ્ચે હવે વેક્સિનને લઈને પણ લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે જે લોકોએ કોરોનાના બુસ્ટર ડોઝ લીધા છે, શું તેમને વધુ એક વખત એટલે કે ચોથો ડોઝ લેવાની જરૂર છે? આ પ્રશ્નો એટલે ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ સમયે દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં કોવિડના નવા કેસોમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.

કોવિડના નવા વેરિએન્ટ જેએન.1ના કારણે કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ આ વેરિએન્ટના લગભગ 63 કેસ નોંધાઈ ચૂક્યા છે. કેરળ બાદ ઘણા રાજ્યોમાં આ વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે શું હવે કોરોના વેક્સિનનો ડોઝ લેવો જોઈએ.

વેક્સિનનો ચોથો ડોઝ લેવાની છે જરૂર?

દેશમાં સાર્સ-કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ એટલે INSACOGના ચીફ એન કે અરોરા મુજબ હાલ દેશમાં કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર નથી. ભલે કેસ વધી રહ્યા છે પણ કોઈ ગંભીર જોખમ નથી. જે લોકોને કોઈ ગંભીર બીમારી છે અથવા તો જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, તે બચાવ માટે ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લઈ શકે છે. જે લોકોને કોઈ મુશ્કેલી નથી, હાલમાં તેમને ચોથો ડોઝ લેવાની જરૂર નથી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ડો. અરોરાએ કહ્યું કે કોરોનાના નવા વેરિએન્ટના લક્ષણ હાલ ફ્લૂની જેમ જ છે. તેનાથી કોઈ ગંભીર પરેશાની જોવા મળી રહી નથી. જો કે વધતા કેસોને જોતા તમામ રાજ્યોને કોવિડ ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેનાથી સમય પર નવા વેરિએન્ટની ઓળખ કરવામાં આવી શકે છે. ડો. અરોરાએ કહ્યું કે જેએન 1 વેરિએન્ટ ઓમિક્રોનનો જ સબ વેરિએન્ટ છે, તે ભારતમાં વધારે ખતરનાક જોવા મળતો નથી.

વધી રહ્યા છે કેસ

ભારતમાં કોવિડ વાયરસના કેસ વધી રહ્યા છે. સૌથી વધારે કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં કોવિડના 3 હજારથી વધારે એક્ટિવ કેસ છે. સમગ્ર દેશના 90 ટકાથી વધારે એક્ટિવ કેસ કેરળથી આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દેશની રાજધાની દિલ્હીમાં પણ કોવિડના કેસ વધવા લાગ્યા છે. ત્યારે એવામાં નિષ્ણાંતોએ લોકોને સાવધાની વર્તવાની સલાહ આપી છે.

Latest News Updates

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">