AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો, શું તમારે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ?

કોવિડના નવા વેરિએન્ટ જેએન.1ના કારણે કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ આ વેરિએન્ટના લગભગ 63 કેસ નોંધાઈ ચૂક્યા છે. કેરળ બાદ ઘણા રાજ્યોમાં આ વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે શું હવે કોરોના વેક્સિનનો ડોઝ લેવો જોઈએ.

દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો, શું તમારે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ?
Covid VaccineImage Credit source: File Image
| Updated on: Dec 25, 2023 | 4:40 PM
Share

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, સાથે જ કોરોનાથી મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. કોવિડના કેસ વધવાની વચ્ચે હવે વેક્સિનને લઈને પણ લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે જે લોકોએ કોરોનાના બુસ્ટર ડોઝ લીધા છે, શું તેમને વધુ એક વખત એટલે કે ચોથો ડોઝ લેવાની જરૂર છે? આ પ્રશ્નો એટલે ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ સમયે દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં કોવિડના નવા કેસોમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.

કોવિડના નવા વેરિએન્ટ જેએન.1ના કારણે કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ આ વેરિએન્ટના લગભગ 63 કેસ નોંધાઈ ચૂક્યા છે. કેરળ બાદ ઘણા રાજ્યોમાં આ વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે શું હવે કોરોના વેક્સિનનો ડોઝ લેવો જોઈએ.

વેક્સિનનો ચોથો ડોઝ લેવાની છે જરૂર?

દેશમાં સાર્સ-કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ એટલે INSACOGના ચીફ એન કે અરોરા મુજબ હાલ દેશમાં કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર નથી. ભલે કેસ વધી રહ્યા છે પણ કોઈ ગંભીર જોખમ નથી. જે લોકોને કોઈ ગંભીર બીમારી છે અથવા તો જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, તે બચાવ માટે ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લઈ શકે છે. જે લોકોને કોઈ મુશ્કેલી નથી, હાલમાં તેમને ચોથો ડોઝ લેવાની જરૂર નથી.

ડો. અરોરાએ કહ્યું કે કોરોનાના નવા વેરિએન્ટના લક્ષણ હાલ ફ્લૂની જેમ જ છે. તેનાથી કોઈ ગંભીર પરેશાની જોવા મળી રહી નથી. જો કે વધતા કેસોને જોતા તમામ રાજ્યોને કોવિડ ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેનાથી સમય પર નવા વેરિએન્ટની ઓળખ કરવામાં આવી શકે છે. ડો. અરોરાએ કહ્યું કે જેએન 1 વેરિએન્ટ ઓમિક્રોનનો જ સબ વેરિએન્ટ છે, તે ભારતમાં વધારે ખતરનાક જોવા મળતો નથી.

વધી રહ્યા છે કેસ

ભારતમાં કોવિડ વાયરસના કેસ વધી રહ્યા છે. સૌથી વધારે કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં કોવિડના 3 હજારથી વધારે એક્ટિવ કેસ છે. સમગ્ર દેશના 90 ટકાથી વધારે એક્ટિવ કેસ કેરળથી આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દેશની રાજધાની દિલ્હીમાં પણ કોવિડના કેસ વધવા લાગ્યા છે. ત્યારે એવામાં નિષ્ણાંતોએ લોકોને સાવધાની વર્તવાની સલાહ આપી છે.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">