વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ભારતમાં ઘટી રહ્યાં છે, રાજ્યોને એલર્ટ રહેવા- નવા કેસનું જીનોમ સિક્વન્સ કરવા મનસુખ માંડવિયાનો અનુરોધ

ચીન સહીત વિશ્વના કેટલાક દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ગંભીરતાથી લઈને સરકારે વિદેશથી આવનાર મુસાફરોના પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. કોરોનાથી બચવા માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાનું પાલન કરવાની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લોકોને અપિલ કરી હતી.

વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ભારતમાં ઘટી રહ્યાં છે, રાજ્યોને એલર્ટ રહેવા- નવા કેસનું જીનોમ સિક્વન્સ કરવા મનસુખ માંડવિયાનો અનુરોધ
Mansukh Mandaviya in lokshabhaImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 2:34 PM

ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે જ્યારે વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આમ છતા, સરકાર કોરોનાને લઈને સતર્ક હોવાનું કેન્દ્રીય આરોગ્ય પ્રધાને આજે લોકસભામાં જણાવ્યું હતું. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પગલાં સરકાર દ્વારા લેવાઈ રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કહ્યું કે, કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. તેની સાથોસાથ કોરોના માટે જાહેર કરેલ માર્ગદર્શીકાનું પૂરેપૂરુ પાલન પણ કરવુ જરુરી છે. તેમ પણ તેમણે કહ્યું હતું.

ચીન સહીત વિશ્વના કેટલાક દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ગંભીરતાથી લઈને સરકારે વિદેશથી આવનાર મુસાફરોના પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. કોરોનાથી બચવા માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાનું પાલન કરવાની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લોકોને અપિલ કરી હતી. સાથોસાથ આ મહામારી સામે જાગૃતતા લાવવા માટે સૌનો સાથ પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને સરકારની તૈયારીઓ અંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે, “સરકાર સતત પગલાં લઈ રહી છે અને રાજ્યોને પણ એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે જ રાજ્યોને નવા આવતા કોરોનાના કેસના જીનોમ સિક્વન્સ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જેથી કોરોના વેરિઅન્ટના નવા પ્રકારો પણ જાણી શકાય. નવા વર્ષ અને તહેવારને ધ્યાનમાં રાખીને, માસ્ક, સેનિટાઈઝર અને અન્ય કોરોના ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મનસુખ માંડવિયાએ કહ્યું કે, વિદેશથી આવતા મુસાફરો માટે રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભારત કોવિડ મેનેજમેન્ટ વધુ સારી રીતે કરી રહ્યું છે. અને આગળ પણ ચાલુ રાખશે. તેમણે ગૃહના સભ્યોનો સહકાર માંગતા કહ્યું કે, કોવિડ વિરોધી રસી લગાવીને તેની સામે સામૂહિક લડાઈ લડવાની જરૂર છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોના અંગે કેન્દ્રની પ્રતિબદ્ધતા વિશે જણાવ્યું હતું કે, ભારતમાં રેકોર્ડબ્રેક રસી સ્થાપિત કરવામાં આવી છે. સરકાર કોરોનાના નિયંત્રણ માટે પ્રતિબદ્ધ છે.

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">