AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Corona એ કાબુ ગુમાવ્યો ! અમદાવાદમાં કોરોનાથી મહિલાનું મોત, અત્યાર સુધીમાં દેશમાં 29ના મોત, ભારતમાં 4 હજાર સુધી પહોંચવા આવ્યા કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 28 પર પહોંચી ગયો છે. કેરળ અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 7-7 લોકોના કોરોનાથી મોત થયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 383 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં, દેશમાં કુલ 1818 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

Breaking News : Corona એ કાબુ ગુમાવ્યો ! અમદાવાદમાં કોરોનાથી મહિલાનું મોત, અત્યાર સુધીમાં દેશમાં 29ના મોત, ભારતમાં 4 હજાર સુધી પહોંચવા આવ્યા કેસ
| Updated on: Jun 02, 2025 | 9:48 AM
Share

ભારતમાં કોરોનાએ રફતાર પકડી છે. ફરી એકવાર કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 360 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ભારતમાં સક્રિય કેસની સંખ્યા 3758 થી વધુ થઈ ગઈ છે.  રવિવાર સુધીમાં, સૌથી વધુ સક્રિય કેસ કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા હતા. કેરળમાં 1400, મહારાષ્ટ્રમાં 814 અને દિલ્હીમાં 436 કેસ નોંધાયા હતા.

તો  કોરોનાથી મોત થવાના આંકડા પણ સામે આવી રહ્યા છે. જો મૃત્યુની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 4 મૃત્યુ થયા છે. ગુજરાતમાં અમદાવાદમાં પણ એક મહિલાનું મોત થયુ છે. કર્ણાટક અને કેરળમાંથી મૃત્યુના કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 63 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું. તે પહેલાથી જ પલ્મોનરી ટીબી, સ્ક્વામસ સેલ કાર્સિનોમા જેવા રોગોથી પીડાતો હતો. તે જ સમયે, કેરળમાં કોરોના પોઝિટિવ રહેલી 24 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. મહિલા અન્ય ઘણી બીમારીઓથી પીડાતી હતી.

અમદાવાદમાં કોરોનાના 197 કેસ

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે. શહેરમાં કોરોનાના કારણે એક મહિલાનું મોત થયું છે. દાણીલીમડાની 47 વર્ષની મહિલા છેલ્લા કેટલાક દિવસોથી એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને તેમનું મોત 23મી તારીખથી સારવાર દરમિયાન થયું. શહેરમાં હાલ 197 સક્રિય કેસ છે અને છેલ્લા 24 કલાકમાં 50 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

સુરતમાં વધુ 4 કેસ નોંધાયા

સુરતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. સિટીલાઈટ વિસ્તારમાં રહેતા 2 યુવકોને કોરોના થયો છે. એક યુવક કુર્ગ તો અન્ય યુવક બાલીથી પરત ફર્યો હતો. તો અન્ય એક વૃદ્ધ અને એક યુવકને પણ કોરોના છે. તમામ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે,.

દેશમાં કોરોનાથી  28 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 28 પર પહોંચી ગયો છે. કેરળ અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 7-7 લોકોના કોરોનાથી મોત થયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 383 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં, દેશમાં કુલ 1818 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

22 મે સુધી સક્રિય કેસની સંખ્યા 257 હતી

તમને જણાવી દઈએ કે 22 મે સુધી દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 257 હતી. 26 મેના રોજ આ સંખ્યા 1010 પર પહોંચી ગઈ. શનિવારે, તે ત્રણ ગણો વધીને. 31 મે સુધી, દેશમાં કોરોનાના 3395 સક્રિય કેસ હતા. તે જ સમયે, 1 જૂનના રોજ આ સંખ્યા વધીને 3758 થઈ ગઈ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 મે સુધી કોરોનાના 24 સક્રિય કેસ હતા. તે જ સમયે, લગભગ 12 દિવસમાં કેસ વધીને 436 થઈ ગયા.

JN.1 વેરિઅન્ટના ફેલાવાને કારણે ચિંતા વધી

નિષ્ણાતોના મતે, ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ JN.1 ના ફેલાવાથી દેશમાં ચિંતા વધી છે, જે સૌપ્રથમ કેરળમાં જોવા મળ્યું હતું. તે જ સમયે, તે હવે અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યું છે. આનાથી ચેપ દર વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કોરોનાનો આ JN.1 વેરિઅન્ટ પહેલાના અન્ય વાયરસ કરતા ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. આને કારણે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

કોરોનાથી બચવા શું કરવું ?

  • માસ્ક પહેરો અને ભીડ ટાળો
  • હાથ ધોવાની આદત જાળવો
  • હળવા લક્ષણોને પણ અવગણશો નહીં

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">