AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 61 કેસ

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 837 થયા છે. તો આજે રાજકોટમાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 61 કેસ
GUJARAT CORONA UPDATE
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 9:18 PM
Share

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થયો છે. આજે 25 ડિસેમ્બરે રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 61 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 837 થયા છે. તો આજે રાજકોટ જિલ્લામાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 8 લાખ 29 હજાર 182 થઇ છે, તેમજ મૃત્યુઆંક વધીને 10,113 થયો છે.

રાજ્યમાં આજે અન્ય મહાનગરો અને નગરોમાં નોધાયેલા નવા કેસની વાત કરીએ તો સુરત શહેરમાં 20, આણંદમાં 18, વડોદરા શહેરમાં 14, રાજકોટ શહેરમાં 13, સુરત જિલ્લામાં 9, અને નવસારીમાં 5 કેસ નોધાયા છે, અન્ય શહેર જિલ્લાઓમાં 4 અને તેથી ઓછા કેસ નોંધાયા છે.

ગઈકાલ કરતા બમણા જેટલા નવા કેસ નોંધાયા રાજ્યમાં ગઈકાલે 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે સીધા બમણા જેટલા કેસો નોંધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 694 હતા, જે આજે વધીને 837 થયા છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 34 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 232 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 6 નવા કેસ રાજ્યમાં આજે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના 6 નવા કેસ નોંધાયા છે જેની વિગત આ પ્રમાણે છે :

1) રાજકોટ શહેરમાં યુકેથી આવેલી 22 વર્ષીય યુવતી ઓમિક્રોન સંક્રમિત

2)ખેડામાં લંડનથી આવેલા 38 વર્ષના એક પુરુષ, 28 વર્ષની એક મહિલા અને 10 વર્ષની એક બાળકી ઓમિક્રોન સંક્રમિત

3)અમદાવાદમાં 50 વર્ષની એક સ્ત્રી અને 28 વર્ષની એક સ્ત્રી ઓમિક્રોન સંક્રમિત થઇ છે, આ બંનેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">