AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC CSE 2022: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની ખાલી જગ્યાઓ વધી, રેલવે માટે પણ નવી જગ્યાઓ ઉમેરવામાં આવી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ પરીક્ષા 2022 સંબંધિત એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. આ માહિતી અનુસાર આ વર્ષે યોજાનારી UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

UPSC CSE 2022: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની ખાલી જગ્યાઓ વધી, રેલવે માટે પણ નવી જગ્યાઓ ઉમેરવામાં આવી
upsc (પ્રતિકાત્મક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:20 PM
Share

UPSC Civil Seva Pariksha 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 સંબંધિત એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. આ UPSC સિવિલ સર્વિસીસ 2022માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો વિશે છે. આયોગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે યોજાનારી UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ખાલી જગ્યાઓ વધારવાનું કારણ રેલવે માટે કેટલીક નવી પોસ્ટનો ઉમેરો છે. હવે ભારતીય રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ એટલે કે, IRMS ગ્રુપ Aની ભરતી (IRMS group A recruitment) પણ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આ અંગે જાહેર કરાયેલ નોટિસ આગળ જોઈ શકાય છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા upsc.gov.in પર જાહેર કરાયેલ સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની લેટેસ્ટ સૂચના અનુસાર હવે ભરતીની જગ્યામાં 150 પદો વધારવામાં આવી છે. અગાઉ જ્યાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા 861 પદો માટે લેવાતી હતી હવે તે કુલ 1,011 પદો માટે થશે. નવી 150 જગ્યાઓ IRMSમાં ભરવામાં આવશે જે ભારતીય રેલ્વેનો એક ભાગ છે. જો કે આ સંભવિત ખાલી જગ્યા છે. જરૂરિયાત મુજબ તેને વધારી કે ઘટાડી પણ શકાય છે.

IRMS શું છે?

ભારતીય રેલ્વેએ તાજેતરમાં એક નોટિસ જાહેર કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશની 8 અલગ-અલગ નેશનલ ટ્રાન્સપોર્ટર સર્વિસને મર્જ કરવામાં આવી છે. આ તમામ ટ્રાન્સપોર્ટરોને જોડીને IRMS બનાવવામાં આવ્યો છે. તેનું પૂરું નામ ઇન્ડિયન રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ છે.

IRMS ગ્રુપ A ખાલી જગ્યા

IRMSમાં ગ્રુપ Aની જગ્યાઓ માટે ભરતી UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ વર્ષે આ વિભાગમાં 150 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 6 જગ્યાઓ અલગ-અલગ-વિકલાંગ વર્ગ માટે અનામત રાખવામાં આવશે.

શું હશે પાત્રતા – UPSC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IRMS ગ્રુપ Aની નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ પણ UPSC CSEની અન્ય સેવાઓની જેમ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં બેસવા માટે સમાન લાયકાત પુરી કરવી પડશે. તેથી જે ઉમેદવારોએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે અરજી કરી છે તેઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: CISF Recruitment 2022: ધોરણ 12 પાસ માટે CISFમાં કોન્સ્ટેબલની ભરતી, જાણો પગાર અને અરજીની વિગતો

આ પણ વાંચો: IAF Recruitment 2022: ભારતીય વાયુસેનામાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">