AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશમાં અભ્યાસ કરવાની સુવર્ણ તક ! આ યુનિવર્સિટી 7 કરોડ રૂપિયાની આપશે સ્કોલરશિપ

યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ (University of auckland) ઈન્ડિયા હાઈ અચીવર્સ સ્કોલરશીપ માટેની અરજી પ્રક્રિયા 30 ઓક્ટોબરથી શરૂ થશે.

વિદેશમાં અભ્યાસ કરવાની સુવર્ણ તક ! આ યુનિવર્સિટી 7 કરોડ રૂપિયાની આપશે સ્કોલરશિપ
Scholarship
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 9:50 AM
Share

ન્યુઝીલેન્ડની (NewZealand) વાઈપાપા તૌમાતા રાઉટ યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિની (Scholarship) જાહેરાત કરી છે. ઓકલેન્ડ યુનિવર્સિટીએ 1.5 મિલિયન ન્યુઝીલેન્ડ ડોલર એટલે કે રૂપિયા 7,30,69,431 સુધીની કુલ શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ ઈન્ડિયા હાઈ અચીવર્સ સ્કોલરશીપ માટેની અરજી પ્રક્રિયા 30 ઓક્ટોબરથી શરૂ થશે. આ શિષ્યવૃત્તિ અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક બંને વિદ્યાર્થીઓ માટે હશે. ઉચ્ચ સિદ્ધિ મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓ (Indian student) માટે 200થી વધુ શિષ્યવૃત્તિ જાહેર થઈ છે.

આ શિષ્યવૃત્તિઓ વર્ષમાં બે વાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 115 શિષ્યવૃત્તિ બે વાર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને દર વર્ષે 20 હજાર ડૉલરની પાંચ સ્કોલરશિપ, 10 હજાર ડૉલર 10 અને 5 હજાર ડૉલરની 100 સ્કોલરશિપ આપવામાં આવશે. ઓકલેન્ડ યુનિવર્સિટીના ડિરેક્ટર આઈન્સલી મૂરે જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે આ શિષ્યવૃત્તિઓ પરસ્પર ફાયદાકારક છે. અમે ઓકલેન્ડમાં શિષ્યવૃત્તિના વિજેતાઓને આવકારીએ છીએ. અમારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેમ્પસમાં વિવિધતા અને સમૃદ્ધિ લાવે છે. ન્યુઝીલેન્ડના કાર્યબળમાં પણ સંશોધન અને મુખ્ય ભૂમિકા ભજવે છે.

વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ જરૂરી

વિદેશમાં અભ્યાસ કરવાની શ્રેષ્ઠ રીત શિષ્યવૃત્તિ છે. વિદેશમાં અભ્યાસ કરવો ખૂબ ખર્ચાળ છે. આવી સ્થિતિમાં, કોઈપણ વિદ્યાર્થી માટે તેનું સ્વપ્ન સાકાર કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણા દેશોમાં શિક્ષણનો ખર્ચ 30 લાખથી 50 લાખ સુધીનો છે. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જઈ શકતા નથી. જો કે, આવા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ખૂબ મદદરૂપ છે. તે કેટલીકવાર સમગ્ર શિક્ષણ ખર્ચને આવરી લે છે એટલું જ નહીં, પરંતુ કેટલીકવાર તે રહેવા અને ખાવાના ખર્ચ માટે પણ નાણાં પૂરા પાડે છે.

ઉત્તર પ્રદેશની અંશિખાને મળી 100% શિષ્યવૃત્તિ

તાજેતરમાં, ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામની અંશિખા પટેલને વોશિંગ્ટન અને યુએસની લી યુનિવર્સિટીમાંથી 100% શિષ્યવૃત્તિ મળી છે. તે આ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં મેજર કરશે, જ્યારે ગણિતમાં માઇનોર કરશે. અત્રે નોંધનીય છે કે, જૌનપુર જિલ્લાના પાકી ગોડાઉન ગામની રહેવાસી અંશિખાની પણ કતાર સ્થિત જ્યોર્જટાઉન યુનિવર્સિટી માટે પસંદગી થઈ હતી. આ સિવાય તે અન્ય પાંચ યુનિવર્સિટીની ઓફરની પણ રાહ જોઈ રહી હતી. તાજેતરમાં જ અંશિખાએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 95 ટકા માર્ક્સ મેળવ્યા હતા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">