AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

University Exams 2021: એનસીસી કેડેટ્સ માટે યોજાશે અલગ સેમેસ્ટર પરીક્ષાઓ, યુજીસીએ યુનિવર્સિટીઓને આપી સૂચના

University Exams NCC Cadets UGC: નેશનલ કેડેટ કોર્પ્સ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને NCC કેડેટ્સ માટે અલગ સેમેસ્ટર પરીક્ષા લેવાનો નિર્દેશ આપ્યો છે.

University Exams 2021: એનસીસી કેડેટ્સ માટે યોજાશે અલગ સેમેસ્ટર પરીક્ષાઓ, યુજીસીએ યુનિવર્સિટીઓને આપી સૂચના
University Exams 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 6:20 PM
Share

University Exams NCC Cadets UGC: નેશનલ કેડેટ કોર્પ્સ (National Cadet Corps) સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને NCC કેડેટ્સ માટે અલગ સેમેસ્ટર પરીક્ષા લેવાનો નિર્દેશ આપ્યો છે.

નવેમ્બર-ડિસેમ્બરમાં વ્યસ્ત તાલીમ શિબિરને કારણે સેમેસ્ટરના વર્ગો કરી શકતા નથી. આ સંદર્ભમાં UGCએ તેની સત્તાવાર વેબસાઇટ ugc.ac.in પર સૂચના પણ જારી કરી છે. જેમાં એનસીસી કેડેટ્સ માટે સેમેસ્ટર પરીક્ષાઓ યોજવા માટે નવી જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નોટિસમાં કમિશને કહ્યું છે કે, ‘યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં ગણતંત્ર દિવસની તૈયારી અને તાલીમ માટે શિબિરોનું આયોજન કરવામાં આવે છે. NCC સાથે સંકળાયેલા કેડેટ્સ અને સ્વયંસેવકો આ સમય દરમિયાન આ શિબિરોમાં વ્યસ્ત છે. રાષ્ટ્રની સેવામાં યોગદાન આપતી વખતે આ કેડેટ્સ તેમના સેમેસ્ટરના વર્ગોમાં હાજરી આપી શકતા નથી. તેથી, શૈક્ષણિક સંસ્થાઓમાં આ કેડેટ્સ માટે એક અલગ વિશેષ પરીક્ષા યોજવી જોઈએ.’ જેથી તેઓ તેમનો અભ્યાસ પણ પૂર્ણ કરી શકે.

યુજીસીએ એમ પણ કહ્યું છે કે, અલગથી લેવાનારી આ સેમેસ્ટર પરીક્ષાઓને રિ-ટેસ્ટ કહેવામાં આવશે નહીં. આ ખાસ પરીક્ષાઓ હશે. તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આ દિશામાં યોગ્ય પગલાં લેવા અને NCC કેડેટ્સ માટે અલગ સેમેસ્ટર પરીક્ષાઓ યોજવાની તૈયારી કરવા અપીલ કરવામાં આવી છે. જેથી આ યુવાનોને રાષ્ટ્ર સેવાના કામના બદલામાં તેમના અભ્યાસની ખોટ સહન કરવી ન પડે.

નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) એ ભારતીય સેનાની યુવા પાંખ છે, જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. તેનો હેતુ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને મૂળભૂત લશ્કરી તાલીમ આપવાનો છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: UPSC IAS Mains 2021: આવતીકાલે સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">