AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે

Indian Navy Musician Job: સંગીતમાં રસ ધરાવતા યુવાનો જો નેવીમાં જોડાવા માંગતા હોય તો તેઓ સંગીતકાર નાવિક તરીકે કારકિર્દી બનાવી શકે છે.

Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે
Indian Navy
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 6:53 PM
Share

Indian Navy Musician Job: સંગીતમાં રસ ધરાવતા યુવાનો જો નેવીમાં જોડાવા માંગતા હોય તો તેઓ સંગીતકાર નાવિક (Musician Sailor) તરીકે કારકિર્દી બનાવી શકે છે. જો તમે હાઈસ્કૂલ પાસ કર્યું હોય, સંગીતની સારી સમજ ધરાવતા હો અને અપરિણીત પણ હોવ તો તમે ભારતીય નૌકાદળમાં સંગીતકાર નાવિક બની શકો છો.

સમયાંતરે ભરવામાં આવતી ખાલી જગ્યાઓના આધારે આ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ભારતીય નૌકાદળ સંગીતના જાણકાર યુવાનોને સંગીતકાર અધિકારી બનવાની તક આપે છે. પસંદ કરાયેલા ઉમેદવારોને શ્રેષ્ઠ સાધનોની તાલીમ આપવામાં આવે છે. પ્રશિક્ષિત સંગીતકાર ખલાસીઓ દેશ અને વિદેશમાં કોન્સર્ટ અને સિમ્ફોનિક બેન્ડ કોન્સર્ટમાં ભાગ લે છે.

લાયકાતના ધોરણ

  • સંગીતકાર નાવિક બનવા માટે, વ્યક્તિએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ.
  • ઉમેદવારને સંગીતનું સારું જ્ઞાન હોવું જોઈએ અને તે વિવિધ સાધનો વગાડી શકે છે.
  • પશ્ચિમી અને ભારતીય બંને વાદ્યો સાથે સંગીતનું વિશેષ જ્ઞાન અને કોઈપણ વાદ્ય વગાડવાનું પ્રેક્ટિકલ જ્ઞાન હોવું જરૂરી છે.
  • વય મર્યાદા 17 થી 20 વર્ષ છે, વિશિષ્ટ સંજોગોમાં મેરીટોરીયસ ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.
  • ઉંચાઈ: ઉમેદવારની લઘુત્તમ ઉંચાઈ 157 સેમી હોવી જોઈએ અને વજન સમાન પ્રમાણમાં હોવું જોઈએ.
  • છાતીનું વિસ્તરણ 5 સેમી હોવું જોઈએ.
  • આ પદ માટે માત્ર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ ઉમેદવારોને જ લાયક ગણવામાં આવે છે.

કેટલો પગાર મળશે?

તાલીમ દરમિયાન, ઉમેદવારોને દર મહિને 14,600 રૂપિયા સ્ટાઈપેન્ડ તરીકે આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કર્યા પછી, તેઓને સંરક્ષણ પગાર ધોરણ મુજબ રૂ. 21,700 થી રૂ. 69,100 સુધીનો પગાર મળે છે. વધુમાં, તેઓને નિયમ મુજબ દર મહિને ડીએ ચૂકવવામાં આવે છે.

સંગીત ક્ષમતા કસોટી

ઉમેદવારે ટેમ્પો, પીચ અને સંપૂર્ણ ગીત ગાવા સાથે મ્યુઝિક માટે ઓરલ એપ્ટિટ્યુડમાં પાસ થવું પડશે. આ માટે, ઉમેદવાર કોઈપણ ભારતીય અથવા પશ્ચિમી વાદ્ય વગાડતા હોવા જોઈએ. ઉમેદવારે સંગીતના વાદ્યને ટ્યુન કરવા ઉપરાંત, અજાણી સંગીતની નોંધોને સાધન સાથે સાંકળવા ઉપરાંત દેશી-વિદેશી સંગીતના મૂળભૂત સિદ્ધાંતો જાણતા હોવા જોઈએ.

ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT)

ભારતીય નૌકાદળના સંગીતકાર ખલાસીઓની પસંદગી માટે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) પણ લેવામાં આવે છે. PFTમાં 7 મિનિટમાં 1.6 કિમીની દોડ, 20 સ્ક્વોટ્સ અને 10 પુશ-અપ્સનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે સમયાંતરે બહાર પાડવામાં આવેલ સૂચના ધ્યાનપૂર્વક વાંચો.

અરજી અને પસંદગી પ્રક્રિયા

સંગીતકાર નાવિકની પોસ્ટ માટે, જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, શૈક્ષણિક અને સંગીતની નિપુણતાના પુરાવા અરજી ફોર્મ સાથે મોકલવા જરૂરી છે. સંગીતકાર ખલાસીઓની સીધી નેવી દ્વારા ભરતી કરવામાં આવે છે. ઉમેદવારોને સ્ક્રીનીંગ માટે તેમની સગવડતા મુજબ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવે છે. જો કે, વિશેષ વહીવટી કારણોસર, નેવલ હેડક્વાર્ટરના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થઈ શકે છે.

સૌપ્રથમ ઉમેદવારોનું સ્ક્રીનીંગ થાય છે. સફળ ઉમેદવારોને તબીબી તપાસ માટે બોલાવવામાં આવે છે. જેઓ આ ટેસ્ટમાં સંપૂર્ણ રીતે ફિટ જણાય છે તેઓ INS કુંજલી, કોલાબા, મુંબઈને અંતિમ સ્ક્રીનીંગ અને અખિલ ભારતીય સ્તરે પસંદગી માટે મોકલવામાં આવે છે. ત્યારબાદ લાયક ઉમેદવારોને નામાંકિત કરવામાં આવે છે અને પ્રારંભિક તાલીમ માટે ચિલ્કા (ઓડિશા) અથવા અન્ય કોઈપણ કેન્દ્રમાં મોકલવામાં આવે છે.

સંગીતકાર નાવિકોને લગભગ 15 અઠવાડિયાની મૂળભૂત તાલીમ આપવામાં આવે છે. આ પછી આ ખલાસીઓને 26 અઠવાડિયા માટે મુંબઈ મોકલવામાં આવે છે. સંગીતકાર ખલાસીઓને તાલીમના સમયગાળા દરમિયાન પગાર, ભથ્થાં, ગણવેશ, ભોજન અને રહેવાની સગવડ આપવામાં આવે છે. તાલીમનો દરેક તબક્કો પૂર્ણ થયા પછી ખલાસીઓને પોસ્ટિંગ આપવામાં આવે છે.

આ નાવિકોની પ્રારંભિક નિમણૂક 15 વર્ષ માટે છે, પરંતુ તેને 50-55 વર્ષની વય મર્યાદા સુધી વધારી શકાય છે. જો તમે ઈચ્છો તો 15 વર્ષની સેવા પછી સ્વેચ્છાએ પેન્શન લઈ શકો છો.

આ પણ વાંચો: યુજીસીએ આપી સૂચના, યુનિવર્સિટી અને કોલેજોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ જલ્દીથી ભરવામાં આવે

આ પણ વાંચો: UPSC Success Story: એક સમયે અભ્યાસથી દુર ભાગતા કુમાર અનુરાગ આ રીતે બની ગયા IAS ઓફિસર, વાંચો એમની રસપ્રદ કહાની

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">