AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવી રીતે Teacher’s Day સ્પીચની કરો શરૂઆત, સાંભળવા વાળા થઈ જશે ઈમ્પ્રેસ

Teacher's Day શિક્ષકો અને તેમના વિદ્યાર્થીઓ બંને માટે ખાસ છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ અને આદર દર્શાવવાનો દિવસ છે.

આવી રીતે Teacher’s Day સ્પીચની કરો શરૂઆત, સાંભળવા વાળા થઈ જશે ઈમ્પ્રેસ
teachers day speech in gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 2:59 PM
Share

દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના (Dr. Sarvapalli Radhakrishnan) જન્મદિવસ નિમિત્તે આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ અને આદર દર્શાવવાનો દિવસ છે. શિક્ષક દિવસના દિવસે શાળાઓ અને કોલેજોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો પર વક્તવ્ય આપે છે. જો તમે પણ આ વર્ષે આવા કાર્યક્રમનો હિસ્સો બનવાના છો, તો ચોક્કસથી એક શાનદાર ભાષણ તૈયાર કરો.

શિક્ષક દિવસ શિક્ષકો અને તેમના વિદ્યાર્થીઓ બંને માટે ખાસ છે. આવી સ્થિતિમાં, તમારે સારું ભાષણ તૈયાર કરવું જોઈએ જેથી કરીને તમારા શિક્ષકો તેમજ સભામાં હાજર દરેક લોકો પ્રભાવિત થાય. અહીં કેટલાક એવા મુદ્દા છે, જેનાથી તમે સરળતાથી ખૂબ જ સારું ભાષણ તૈયાર કરી શકો છો.

Teachers Day Speech આ રીતે કરો શરૂ

સ્પીચ લખતી વખતે અને તૈયાર કરતી વખતે, પહેલા તમારો પરિચય આપો. આ પછી, સભામાં ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને માન આપીને તમારું ભાષણ શરૂ કરો. જો તમારી પાસે કેટલાક શિક્ષકો સંબંધિત છંદો અથવા અન્ય રચનાઓ વિશેની માહિતી હોય, તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. સ્પીચની શરૂઆતમાં, લોકોને કહો કે શા માટે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનચરિત્ર વિશે વાત કરો.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે કહો…

દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નન એક પ્રખ્યાત દાર્શનિક અને શિક્ષણશાસ્ત્રી હતા. 5 સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુના એક નાનકડા ગામ તિરુમનીમાં જન્મેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને 27 વખત નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમને 1954માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન પણ એક મહાન દાર્શનિક શિક્ષક હતા અને તેમને શિક્ષણના ક્ષેત્રમાં ઘણો રસ હતો. તેમણે 40 વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યું. તેમના જીવનકાળ દરમિયાન, તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી, એક પ્રખ્યાત શિક્ષક, જાણીતા લેખક અને પ્રસાશક પણ હતા.

સ્પીચનો અંત

તમારા ભાષણના અંતે ફરી એકવાર બધા ગુરુઓને નમન કરો. તેમના માટે થોડી પંક્તિઓ કહી શકાય. આ માટે તમે નીચેની કોઈપણ એક પંક્તિ કહી શકો છો-

  1. 1. गुरु तेरे उपकार का, कैसे चुकाऊं मैं मोल, लाख कीमती धन भला, गुरु हैं मेरे अनमोल.
  2. 2. शिक्षा से बड़ा कोई वरदान नहीं है..गुरु का आशीर्वाद मिले, इससे बड़ा कोई सम्मान नहीं.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">