PhD Admission: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ હાલની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) દ્વારા ક્વોલિફાય કરવા ઉપરાંત પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાનો સમાવેશ કરીને પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટેના નિયમોમાં સુધારો કર્યો છે. અહેવાલો અનુસાર 7.5 ના ન્યૂનતમ CGPA (Cumulative Grade Point Average) સાથે ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધારકો પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે પાત્ર હશે. ઉપરાંત, યુજીસીએ, રેગ્યુલેશન એક્ટ 2016માં તેના નવા ડ્રાફ્ટ સુધારામાં, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET)/જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) માટે ઉપલબ્ધ 60% બેઠકો અનામત રાખવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ એક મોટું પગલું ભર્યું છે. આયોગે આ વર્ષથી એમફીલની ડિગ્રી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે UGC રેગ્યુલેશન 2022 હેઠળ અન્ય ઘણા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. હવે શિક્ષકો/પ્રોફેસરોને નિવૃત્તિ પછી પણ પેરેન્ટ યુનિવર્સિટીમાં ફરીથી કામ કરવાની તક આપવામાં આવશે.
10 માર્ચે યોજાયેલી 556મી કમિશનની બેઠક દરમિયાન યુજીસી રેગ્યુલેશન્સ 2022ના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી હતી. HTએ દસ્તાવેજની નકલની સમીક્ષા કરી છે. આ ફેરફારો શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ 2020 (NEP 2020)ને અનુરૂપ છે. વિકાસથી વાકેફ UGC અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ નિયમો જાહેર સૂચનો માટે બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.
તાજેતરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને વ્યાવસાયિકોને લઈને મોટો નિર્ણય લીધો છે. દેશની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે રાહતના સમાચાર છે. હવે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવા માટે પીએચડી ડિગ્રી ફરજિયાત નહીં હોય. યુજીસીના આ નિર્ણયથી સંબંધિત વિષયના નિષ્ણાતો યુનિવર્સિટીમાં ભણાવી શકશે.
તે જ સમયે અધ્યક્ષ જગદીશ કુમારે કહ્યું કે, ઘણા ક્ષેત્રોના નિષ્ણાતો છે જેઓ યુનિવર્સિટીઓમાં ભણાવવા માંગે છે. એવા લોકો હોઈ શકે કે જેમણે મોટા પાયા પર કોઈ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હોય અને જમીન પર ઘણો અનુભવ હોય અથવા એવા લોકો હોઈ શકે જે ઉત્તમ ગાયકો, સંગીતકારો, નર્તકો હોય, તે પણ આ નિયમ બદલાયા પછી વધી શકે છે. કોઈપણ જે નિષ્ણાત છે અને 60 વર્ષની વય વટાવી ચૂક્યું છે તે 65 વર્ષની ઉંમર સુધી યુનિવર્સિટીમાં ભણાવી શકે છે.
આ પણ વાંચો: Bihar Board 12th Result 2022: બિહાર બોર્ડે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ વખત 19 દિવસમાં જાહેર કર્યુ પરિણામ