દર વર્ષે ભરતી.. હજુ પણ 1472 IAS, 864 IPSની કમી, 3 કારણોસર નથી વધી રહી ભરતી

દેશમાં 1472 IAS અને 864 IPSની જગ્યાઓ ખાલી છે. હજુ પણ UPSC સિવિલ સર્વિસની ખાલી જગ્યાઓ વધી રહી નથી. સરકારે તેની પાછળ 3 કારણો આપ્યા છે.

દર વર્ષે ભરતી.. હજુ પણ 1472 IAS, 864 IPSની કમી, 3 કારણોસર નથી વધી રહી ભરતી
ias ips vacancy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 7:36 AM

દેશમાં IAS, IPSની નિમણૂક માટે યુનિયન પબ્લિક સર્વિસ (UPSC) દ્વારા દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે સેંકડો IAS અને IPSની પસંદગી કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે અને પછી સમગ્ર દેશમાં પોસ્ટ કરવામાં આવે છે. હજુ પણ દેશમાં લગભગ 2500 IAS અને IPS અધિકારીઓની અછત છે. કેન્દ્ર સરકારે ખુદ આ માહિતી આપી છે. કેન્દ્રીય રાજ્ય કર્મચારી મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં જણાવ્યું કે, આટલી અછત હોવા છતાં UPSC સિવિલ સર્વિસિસમાં ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો નથી. લેટરલ એન્ટ્રી અંગે પણ માહિતી આપવામાં આવી છે.

કેમ નથી વધી રહી UPSC IAS IPS ની ખાલી જગ્યા

ગુરુવારે, મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે, હાલમાં ભારતના વિવિધ રાજ્યોમાં કુલ 1472 IAS અને 864 IPS અધિકારીઓની જગ્યાઓ ખાલી છે. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા દ્વારા દર વર્ષે 180 IAS અને 200 IPSની પસંદગી કરવામાં આવે છે. આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જ્યારે જગ્યાઓ ખાલી છે ત્યારે સરકાર ખાલી જગ્યાઓની સંખ્યા કેમ નથી વધારી રહી?

ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું કે, Baswan Committeeની ભલામણોના આધારે 2012માં IASની પોસ્ટ વાર્ષિક 180 સુધી વધારી દેવામાં આવી હતી. જ્યારે IPSની ખાલી જગ્યા 2020થી વધારવામાં આવી હતી, ત્યારથી 200 પોસ્ટ્સ પર પસંદગી શરૂ થઈ હતી. કમિટીએ પોતાની ભલામણમાં એમ પણ કહ્યું હતું કે, એક વર્ષમાં વધુ પોસ્ટ ન વધારવામાં આવે. તેની પાછળ ત્રણ મહત્વના કારણો જણાવવામાં આવ્યા છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

આ 3 કારણોથી UPSC IASની ખાલી જગ્યા વધી નથી

  1. જો ખાલી જગ્યાઓની સંખ્યા વધે છે, તો વધુ લોકોની પસંદગીને કારણે ગુણવત્તા સાથે ચેડા થઈ શકે છે. દેશના સર્વોચ્ચ વહીવટી પદ પર ગુણવત્તા સાથે બાંધછોડ કરવી યોગ્ય નથી.
  2. IAS ટ્રેનિંગ એકેડમી LBSNAA ની ક્ષમતા આનાથી વધુ નથી. જો વધુ IAS પસંદ કરવામાં આવશે તો તેમની તાલીમ યોગ્ય રીતે થશે નહીં.
  3. IAS અધિકારીઓની કારકિર્દીનો પિરામિડ બગડશે.

લેટરલ એન્ટ્રીમાંથી 37 અધિકારીઓની પસંદગી

અન્ય એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે, 2019થી અત્યાર સુધીમાં કુલ 37 અધિકારીઓની લેટરલ એન્ટ્રી દ્વારા પસંદગી કરવામાં આવી છે. 2019માં 7 અને 2021માં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવની જગ્યાઓ માટે 21 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">