AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું નોકરી બદલવા પર પણ સરકાર આપશે 15000 રૂપિયા? શું છે સરકારની ELI યોજનાના નિયમ- જાણો

કેન્દ્ર સરકાર યુવાનોને રોજગાર સાથે જોડવા માટે ELI યોજના લઈને આવી છે. જે અંતર્ગત પહેલી નોકરી જોઈન કરવા પર 15000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે. આ રાશી બે હપ્તામાં મળશે.

શું નોકરી બદલવા પર પણ સરકાર આપશે 15000 રૂપિયા? શું છે સરકારની ELI યોજનાના નિયમ- જાણો
| Updated on: Jul 08, 2025 | 3:43 PM
Share

પહેલો અનુભવ હંમેશા ખાસ હોય છે. પછી ભલે તે કોલેજનો પહેલો દિવસ હોય કે નોકરીનો પહેલો દિવસ. પહેલી નોકરી પણ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. આપના આ જ ખઆસ મોમેન્ટને વધુ યાદગાર બનાવવા કેન્દ્ર સરકાર Employment Linked Incentive Scheme લઈને આવી છે. આ યોજના અંતર્ગત 2 કરોડ યુવાનોને પહેલી નોકરી જોઈન કરવા પર સેલરી ઉપરાંત 15 હજાર રૂપિયા અલગથી મળશે.

આ સાંભળીને એ તમામ લોકો જે સ્ટડી પુરુ કરી પ્રોફેશનલ લાઈફમાં ડગ માંડવાના છે. પરંતુ શું તમે જાણો છો કે આ પૈસા મેળવવા માટેની કેટલાક નિયમ અને શરતો પણ છે. તમે પહેલી નોકરી જોઈન કર્યા બાદ કર્મચારીને પાત્રતાની આ શરતોનું બરાબર ધ્યાન રાખવુ પડશે. ત્યારે જ તેમને સરકાર તરફથી 15 હજાર રૂપિયા મળશે.

પ્રથમ સેલરીમાં નહીં આવે પૈસા

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન ELI યોજના અંતર્ગત એ સ્પષ્ટ છે કે સરકાર તરફથી મળનારા પૈસા આપને પહેલી સેલરીમાં નહીં મળે. તેના માટે તમારે 6 મહિનાની રાહ જોવી પડશે. 15 હજાર રૂપિયા બે હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ હપતો 6 મહિનાની નોકરી બાદ આવશે. જ્યારે બીજો હપતો 12 મહિનામાં આવશે. અનેક યુવાનોન મનમાં એ સવાલ ઉદ્દભવી શકે કે જો એક વર્ષની અંદર તેમને બીજે ક્યાંકથી સારી જોબ ઓફર આવે તો શું ત્યારે પણ તેમને સરકાર તરફથી આર્થિક પ્રોોત્સાહન મળશે?

જાણી લો જવાબ

ELI યોજનાના નિયમોમાં સ્પષ્ટ છે કે કર્મચારીએ ઓછામાં ઓછા 6 મહિના સુધી કામ કરવું પડશે, તે પછી જ તેને 15,000 રૂપિયાનો પહેલો હપ્તો મળશે. હવે જો તમને બીજો હપ્તો મળતા પહેલા નોકરીની ઓફર મળે છે, તો એવી શક્યતા છે કે તમે બીજા હપ્તાનો લાભ ગુમાવી શકો છો. નિયમો અનુસાર, 12મા મહિનામાં આવનારા પૈસા તમારી પહેલી નોકરી માટે હશે. જો તમે બીજી નોકરીમાં જોડાઓ છો, તો તકનીકી રીતે તમે પાત્રતાની શરત પૂરી કરી શકશો નહીં. આવી સ્થિતિમાં, શક્ય છે કે તમને 15,000 રૂપિયાના માત્ર 50 ટકા જ મળે. હા, જો તમે તમારી પહેલી કંપનીમાં એક વર્ષ પૂર્ણ કરો છો, તો તમને પૂરા પૈસા મળશે.

1 લાખ સુધીના પગાર ધરાવતા લોકો માટે લાભ

આ યોજનામાં પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફક્ત 1 લાખ રૂપિયાના મહત્તમ પગાર ધરાવતા લોકોને જ આ યોજનાનો લાભ મળશે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે 1 લાખ રૂપિયાને CTC ગણવામાં આવશે કે નેટ સેલરીને. જો તમે 1 ઓગસ્ટના રોજ કે તે પછી નોકરીમાં જોડાવાના છો, તો તમને આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં સામેલ કરવામાં આવશે.

Fashion Tips: મોંઘા બ્રાન્ડેડ કપડા પહેર્યા વિના પણ તમે લાગશો અમીર અને ક્લાસી, બસ તમારે અપનાવવી પડશે આ 7 ફેશન ટિપ્સ- વાંચો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">