AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાળાઓ ખોલાવવા ધોરણ 12નો વિદ્યાર્થી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજી દાખલ કરી જણાવ્યુ કઇ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બાળકો

અરજીમાં કહેવામાં આવ્યુ કે વર્ગો ઑનલાઇન આયોજિત કરવામાં આવી રહ્યા છે.તેથી, આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ આવા વર્ગો સુધી પહોંચી શકતા નથી. વિદ્યાર્થીઓને નિયમિત સ્કૂલ શિક્ષણના અભાવમાં પરિવારના દબાણ હેઠળ મેન્યુઅલ પરિશ્રમ કાર્યનો સહારો લેવો પડી રહ્યો છે.  

શાળાઓ ખોલાવવા ધોરણ 12નો વિદ્યાર્થી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજી દાખલ કરી જણાવ્યુ કઇ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બાળકો
Supreme Court (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 11:07 AM
Share

દિલ્હીમાં 12 માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરીને દેશભરની શાળાઓ ફરીથી ખોલવાની માગ કરી છે.રવિપ્રકાશ મહેરોત્રા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે કોર્ટે કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શાળાઓ ફરીથી ખોલવા માટે ન્યાયી અને ઝડપી નિર્ણય લેવા માટે નિર્દેશો આપવા જોઈએ.જેથી વિદ્યાર્થી સમુદાય પર્યાપ્ત સલામતીનાં પગલાં સાથે ફિઝિકલ વર્ગોમાં ભાગ લઈ શકે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓ ન ખોલવાને કારણે વિદ્યાર્થીઓ પર માનસિક અને શારીરિક બંને આડઅસર થઈ રહી છે. શાળાઓ ખોલાવાથી બાળકોને મળનારા સંપૂર્ણ શિક્ષા અને સમાનતા અધિકારને આધાર બનાવીને દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ કે વર્ગો ઑનલાઇન આયોજિત કરવામાં આવી રહ્યા છે.(Problems of Students During Pandemic)   તેથી, આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ આવા વર્ગો સુધી પહોંચી શકતા નથી. વિદ્યાર્થીઓને નિયમિત સ્કૂલ શિક્ષણના અભાવમાં પરિવારના દબાણ હેઠળ મેન્યુઅલ પરિશ્રમ કાર્યનો સહારો લેવો પડી રહ્યો છે.

બાળકોને કોરોના વાયરસ સંક્રમણથી બચાવવા માટે ગયા વર્ષે દેશભરની શાળાઓ બંધ કરવામાં આવી હતી. જોકે હવે ધીમે ધીમે શાળાઓ ખોલવામાં આવી રહી છે ઉત્તરપ્રદેશમાં ધોરણ 6 થી 8 સુધીની શાળાઓ 1 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે સૂચનાઓ આપી છે.    ટીમ 9 સાથેની બેઠક બાદ તેમણે કહ્યું કે વર્ગો ખોલવાની  પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

આ નિર્ણય પહેલા કોરોના વાયરસની સ્થિતિનું પણ સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સ્વતંત્રતા દિવસ પછી માધ્યમિક, ઉચ્ચમાધ્યમિક,વ્યાવસાયિક શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ શરૂ થઈ રહ્યું છે  આ સાથે, તેમણે 18 વર્ષથી ઉપરના શિક્ષકો અને વિદ્યાર્થીઓના રસીકરણ પર ભાર મૂક્યો અને કહ્યું કે આ માટે શાળા અને કોલેજ પરિસરમાં જ રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવે.

આ પણ વાંચોICSI CS Exam 2021: ICSIએ CS પરીક્ષાને લગતી મહત્વની નોટિસ જાહેર કરી, અહીં જાણો વિગતો

આ પણ વાંચો :Union Bank of India Recruitment 2021: યુનિયન બેંકમાં મેનેજર સહિતના પદ માટે કરાશે ભરતી, જાણો સમગ્ર વિગત

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">