CBSE 12th Result 2021: સીબીએસઇ દ્વારા ધોરણ 12ના પરિણામ અંગે જાહેર કરાઈ અગત્યની નોટિસ, જાણો સમગ્ર વિગત

|

Jul 21, 2021 | 5:48 PM

સીબીએસઇએ તેની નોટિસમાં કહ્યું હતું કે, શાળાઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે ડેટાને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કરી રહી છે. પરંતુ છેલ્લી તારીખ નજીક હોવાને કારણે શિક્ષકો દબાણ હેઠળ ભૂલો કરી રહ્યા છે.

CBSE 12th Result 2021: સીબીએસઇ દ્વારા ધોરણ 12ના પરિણામ અંગે જાહેર કરાઈ અગત્યની નોટિસ, જાણો સમગ્ર વિગત
CBSE 12th Result 2021

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 12 ધોરણના પરિણામોને (CBSE Board Result 2021) ફાઇનલ કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈથી 25 જુલાઈથી વધારીને સાંજે 5 વાગ્યાની કરી વધારી દીધી છે. સીબીએસઇએ તેની નોટિસમાં કહ્યું હતું કે, શાળાઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે ડેટાને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કરી રહી છે. પરંતુ છેલ્લી તારીખ નજીક હોવાને કારણે શિક્ષકો દબાણ હેઠળ ભૂલો કરી રહ્યા છે અને પછી સીબીએસઇને તેમને સુધારવા વિનંતી કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં સીબીએસઇએ નિર્ણય લીધો છે કે, પરિણામને અંતિમ સ્વરૂપ આપવાની છેલ્લી તારીખ 22 જુલાઈથી 25 જુલાઈ, 2021 સાંજે 5 વાગ્યા સુધીની વધારી દેવામાં આવી છે. શાળાઓને પોતાનું કાર્ય ચાલુ રાખવા અનુરોધ કરવામાં આવે છે, અને જો કોઈ શાળાનું કાર્ય પૂર્ણ ન થાય તો તે શાળાનું પરિણામ અલગથી જાહેર કરવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સીબીએસઈ અને અન્ય રાજ્ય બોર્ડને 31 મી જુલાઈ સુધી ધોરણ 12નું પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો હતો. 25 જુલાઈ સુધીમાં પરિણામોને અંતિમ રૂપ આપવાની કામગીરી શાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. તે મુજબ 25 અને 31 જુલાઇની વચ્ચે પરિણામ જાહેર થવાની સંભાવના છે. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી નથી મળી.

કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને વર્ગ 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલ વૈકલ્પિક મૂલ્યાંકન નીતિના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે. જેના માટે આંતરિક આકારણી અને પ્રોજેક્ટ સહિત, દસમા, અગ્યારમા અને બારમા ધોરણના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે.

 

આ પણ વાંચો: ISRO Recruitment 2021: ISROમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

આ પણ વાંચો: Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?

Next Article