AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BECIL Recruitment 2022: સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

BECIL Recruitment 2022: કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવતા બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર સહિતની ઘણી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

BECIL Recruitment 2022: સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 1:56 PM
Share

BECIL Recruitment 2022: કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવતા બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ ઈન્ડિયા લિમિટેડ (BECIL) દ્વારા સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર સહિતની ઘણી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ ખાલી જગ્યા (BECIL Supervisor Recruitment 2022) દ્વારા લગભગ 500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 25 જાન્યુઆરી 2022 સુધીમાં અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ખાલી જગ્યામાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ ઈન્ડિયા લિમિટેડ (BECIL) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 500 પોસ્ટની ભરતી કરવામાં આવશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના તપાસવી જોઈએ. અરજીની છેલ્લી તારીખ પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી કરો કારણ કે છેલ્લી તારીખ પછી, એપ્લિકેશન ફોર્મની લિંક becil.com વેબસાઇટ પરથી દૂર કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા

  1. અરજી કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ becil.com પર જાઓ.
  2. વેબસાઈટના હોમ પેજ પર આપેલા કરિયર ઓપ્શન પર જાઓ.
  3. આમાં Applications are invited for recruitment/ empanelment of manpower purely on contract basis લિંકની મુલાકાત લેવાની રહેશે.
  4. હવે Apply Online ની લિંક પર ક્લિક કરો.
  5. તે પછી પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  6. નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  7. એપ્લિકેશન પૂર્ણ કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લો.

આ જગ્યાઓ પર થશે ભરતી

ઈન્વેસ્ટીગેટર – 350 પોસ્ટ્સ સુપરવાઈઝર – 150 પોસ્ટ્સ

લાયકાત

ઈન્વેસ્ટિગેટર અને સુપરવાઈઝરના પદ માટે ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ, સાથે કમ્પ્યુટરમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. આમાં અરજી કરનારા ઉમેદવારોની ઉંમર મહત્તમ 50 વર્ષ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. દસ્તાવેજોની ચકાસણી અને ઉમેદવારોની અંતિમ પસંદગી માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જો આ ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે તો ઉમેદવારોને આ અંગે પણ જાણ કરવામાં આવશે. આ ભરતી માટેની અરજીઓ માત્ર ઈ-મેલ દ્વારા જ સબમિટ કરી શકાશે. ભરતીની સૂચના મુજબ, અન્ય માધ્યમથી મોકલવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ સૂચના કાળજીપૂર્વક વાંચો.

આ પણ વાંચો: Career Option: આર્ટસ સ્ટ્રીમમાંથી 12મું કરીને આ ફિલ્ડમાં બનાવો કારકિર્દી, સારા પગાર સાથે મળશે ઘણી સુવિધાઓ

આ પણ વાંચો: UGC Surya Namaskar Event: યુજીસીએ તમામ કોલેજોને પ્રજાસત્તાક દિવસે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ભાગ લેવા કરી અપીલ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">