AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AICTE Scholarship: AICTE શિષ્યવૃત્તિમાં અરજી કરવા માટે હવે થોડા દિવસો બાકી, દર વર્ષે મળે છે 50 હજારની સહાય

AICTE Scholarship: ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) જલદી જ હોંશિયાર વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ માટેની અરજી પ્રક્રિયા બંધ કરશે.

AICTE Scholarship: AICTE શિષ્યવૃત્તિમાં અરજી કરવા માટે હવે થોડા દિવસો બાકી, દર વર્ષે મળે છે 50 હજારની સહાય
AICTE Scholarship
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 4:57 PM
Share

AICTE Scholarship: ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) જલદી જ હોંશિયાર વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ માટેની અરજી પ્રક્રિયા બંધ કરશે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ અત્યાર સુધી આ માટે અરજી કરી નથી તેઓ AICTEની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ (AICTE Scholarship) માટે અરજી કરી શકે છે. જો વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ માટે પસંદ કરવામાં આવે છે, તો તેમને 50000 રૂપિયા મળશે. જે વિદ્યાર્થીઓ આ યોજના માટે યોગ્ય શરતો પૂર્ણ કરે છે તેઓ શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા વાંચ્યા પછી જ અરજી કરો.

વિદ્યાર્થીનીઓના અભ્યાસને અસર ન થાય તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં AICTE શિષ્યવૃત્તિ વિશેષ છે. વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે 31મી જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ aicte-india.org પર અરજી કરી શકે છે.

આ રીતે કરો અરજી

  1. અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ aicte-india.org પર જાઓ.
  2. હોમ પેજ પર સ્કોલરશીપ્સ પર જાઓ.
  3. આ પછી AICTE સ્કીમ્સ પર જાઓ.
  4. અરજી ફોર્મની લિંક વેબસાઇટ પર જ ઉપલબ્ધ છે.
  5. ઉમેદવારોને અરજી ફોર્મ ભરતી વખતે સાચી માહિતી ભરવાની સલાહ આપવામાં આવે છે.
  6. ખોટી રીતે ભરેલ ફોર્મ અથવા અધૂરી માહિતી સાથેનું ફોર્મ નામંજૂર કરવામાં આવશે.

AICTE શિષ્યવૃત્તિ શું છે?

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)એ પ્રગતિ શિષ્યવૃત્તિ (છોકરીઓ), સક્ષમ શિષ્યવૃત્તિ યોજના (ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ), સ્વાનાથ શિષ્યવૃત્તિ પીજી માટે ઑનલાઇન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે 31મી જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે.

આ શિષ્યવૃત્તિ યોજના વર્ષ 2021 માં ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિ માટે માત્ર લાયક વિદ્યાર્થીનીઓ જ અરજી કરી શકે છે. આ શિષ્યવૃત્તિ માટે પસંદ કરાયેલી વિદ્યાર્થીનીને તેમના અભ્યાસના સમયગાળા માટે દર વર્ષે 50,000 રૂપિયા આપવામાં આવે છે.

આ પણ વાંચો: BECIL Recruitment 2022: સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: IIT Roorkee MBA Admission 2022: IIT રૂરકીમાં મેનેજમેન્ટ કોર્સ માટે પ્રવેશ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">