AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC પરીક્ષામાં નહીં વધે વય મર્યાદા અને અટેમ્પ્ટની સંખ્યા, જાણો કેટલી ઉંમર સુધી બની શકો છો IAS-IPS ઓફિસર

કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા માટે વય મર્યાદા અને પરીક્ષાના પ્રયાસોની સંખ્યા વધારવા અંગે માહિતી આપી હતી.

UPSC પરીક્ષામાં નહીં વધે વય મર્યાદા અને અટેમ્પ્ટની સંખ્યા, જાણો કેટલી ઉંમર સુધી બની શકો છો IAS-IPS ઓફિસર
JItendra Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 9:19 AM
Share

કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે વય મર્યાદા અને પરીક્ષાના પ્રયાસોની સંખ્યા વધારવાના મામલે મોટો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્યકક્ષાના કર્મચારી જિતેન્દ્ર સિંહે લોકસભામાં માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સરકાર સિવિલ સર્વિસ પરીક્ષાઓના સંદર્ભમાં પ્રયાસોની સંખ્યા અને વય મર્યાદાની હાલની જોગવાઈઓ બદલવા માંગતી નથી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના આધારે આ બાબતની વિચારણા કરવામાં આવી હતી અને સિવિલ સર્વિસ પરીક્ષાઓના (UPSC) સંદર્ભમાં પ્રયાસોની સંખ્યા અને વય મર્યાદાની હાલની જોગવાઈઓમાં ફેરફાર કરવાનું શક્ય જણાતું નથી.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કોવિડ-19ને કારણે સિવિલ સર્વિસ પરીક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ અને એક વધારાનો પ્રયાસ આપવાનો મુદ્દો કેટલાક ઉમેદવારોની રિટ પિટિશન દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો હતો.

SSCએ આપી છે છૂટછાટ

જિતેન્દ્ર સિંહે કહ્યું કે, કોવિડ-19ને કારણે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે SSCની ભરતીના ચક્રમાં વિલંબ થયો છે. SSCએ આ વર્ષે જે પરીક્ષાઓ માટે જાહેરાતો જારી કરવામાં આવી રહી છે. તેની ઉંમર નક્કી કરવા માટે નિર્ણાયક તારીખ તરીકે 1 જાન્યુઆરી, 2022 નક્કી કરવાનો નિર્ણય કર્યો છે.

IAS-IPS અધિકારી માટે વય મર્યાદા

સિવિલ સર્વિસીસ પરીક્ષામાં બેસવા માટેની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 32 વર્ષ છે. OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષ, SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષ અને શારીરિક રીતે અક્ષમ ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળે છે. કમિશન દ્વારા નિર્ધારિત વય પ્રાપ્ત કર્યા પછી, તમે આ પરીક્ષામાં બેસવા માટે અયોગ્ય બનો છો.

UPSC દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે, જેમાંથી માત્ર મુઠ્ઠીભર લોકો જ અધિકારી બનવાનું પોતાનું સપનું પૂરું કરી શકતા હોય છે.

પ્રયત્નોની સંખ્યા

જનરલ કેટેગરીના ઉમેદવારોને UPSC પરીક્ષામાં બેસવાની 6 તકો મળે છે. OBC કેટેગરીના ઉમેદવારો 35 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી કુલ 9 વખત પરીક્ષામાં બેસી શકે છે. જ્યારે, SC અને ST કેટેગરીના ઉમેદવારો 37 વર્ષની વય પૂર્ણ ન કરે ત્યાં સુધી તેઓ ઇચ્છે તેટલી વખત પરીક્ષામાં બેસી શકે છે.

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">