શું સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી કમાણી પરનો ટેક્સ દૂર કરવામાં આવશે? જાણો સરકારનો જવાબ

જો તમે આ સ્કીમમાં રોકાણ કરતી વખતે ડિવિડન્ડ મેળવો છો અને નફો ડિવિડન્ડ તરીકે લો છે, તો તેના પર ટેક્સ ચૂકવવો પડશે. ઘણા લોકો ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરતી વખતે પણ ડિવિડન્ડના રૂપમાં કમાણી કરે છે. તેથી હવે ટેક્સ ભરવો પડશે.

શું સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી કમાણી પરનો ટેક્સ દૂર કરવામાં આવશે? જાણો સરકારનો જવાબ
LTCG Tax
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:44 AM

જો તમે રિટેલ રોકાણકાર છો અને સ્ટોક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા નફો કમાઓ છો, તો તમારે લોંગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) વિશે સારી રીતે જાણ હોવી જોઈએ. રોકાણકારોને વર્ષ 2018 થી સ્ટોક અથવા મ્યુચ્યુઅલ ફંડ પરના આ ટેક્સમાં રાહત નહીં મળે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે લોંગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ટેક્સ નાબૂદ કરવાની કોઈ યોજના નથી. સરકારે ગૃહને એ પણ જણાવ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી માટે LTCG સમયગાળો એક વર્ષથી વધારીને બે વર્ષ કરવાની કોઈ યોજના નથી.

LTCG શું છે? વર્ષ 2018 થી લિસ્ટેડ ઇક્વિટી શેરના વેચાણ પર લાંબા ગાળાના મૂડી લાભને કરપાત્ર બનાવવામાં આવ્યો છે. ઇક્વિટી રોકાણના કિસ્સામાં લાંબા ગાળાનો અર્થ ખરીદીની તારીખથી એક વર્ષથી વધુનો હોલ્ડિંગ સમયગાળો થાય છે. લાંબા ગાળાના મૂડી લાભો લિસ્ટેડ ઇક્વિટી શેરના વેચાણ પર મેળવેલ નફો છે. 2018 પહેલા, ઇક્વિટી રોકાણ પર મેળવેલ મૂડી લાભ કરમુક્ત હતો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

આ સાથે, કેન્દ્ર સરકારે આકારણી વર્ષ 2018-19 થી 2020-21 માટે એલટીસીજીથી કમાયેલી આવકનો પણ ખુલાસો કર્યો છે. આકારણી વર્ષ 2018-19માં સરકારે 1,222 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એ જ રીતે, સરકારે 2019-20 અને 2020-21 માટે અનુક્રમે રૂ. 3,460 કરોડ અને રૂ. 5,311 કરોડ એકત્રિત કર્યા છે.

MF સંબંધિત નિયમ બદલાયો મ્યુચ્યુઅલ ફંડ અથવા ડાયરેક્ટ ઇક્વિટી સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ બદલાઈ ગયો છે. આ નિયમ કરની જવાબદારી સંબંધિત છે. જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે અથવા ડાયરેક્ટ ઇક્વિટીમાં નાણાંનું રોકાણ કરે છે, તેઓએ આ નવા ટેક્સ નિયમ વિશે જાણવું જોઈએ.

જો તમે આ સ્કીમમાં રોકાણ કરતી વખતે ડિવિડન્ડ મેળવો છો અને નફો ડિવિડન્ડ તરીકે લો છે, તો તેના પર ટેક્સ ચૂકવવો પડશે. ઘણા લોકો ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરતી વખતે પણ ડિવિડન્ડના રૂપમાં કમાણી કરે છે. તેથી હવે ટેક્સ ભરવો પડશે.

અગાઉ આ પ્રકારની યોજનામાં કર જવાબદારીનો કોઈ નિયમ નહોતો. પહેલા લોકો ડિવિડન્ડ પર ટેક્સ ભરતા ન હતા. પરંતુ નાણાકીય વર્ષ 2019-20 પછી નિયમ બદલાયો છે. 2019-20 પહેલા કંપનીઓ અને ફંડ હાઉસ ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ અથવા DDT ચૂકવતા હતા. રોકાણકારોને ડિવિડન્ડ આપતા પહેલા કંપનીઓ અથવા ફંડ હાઉસ સરકારને ડીડીટી ચૂકવતા હતા, જ્યારે રોકાણકારના હાથમાં જે રકમ ડિવિડન્ડના રૂપમાં આવતી હતી તે સંપૂર્ણપણે કરમુક્ત હતી. તેથી, રોકાણકાર ગમે તે ટેક્સ સ્લેબમાં હોય, તેનું ડિવિડન્ડ કરમુક્ત હતું. હવે એવું નહીં થાય.

આ પણ વાંચો : RBI Credit Policy: સામાન્ય માણસને મળશે લાભ કે વ્યાજ દર વધશે? આજે નિર્ણય જાહેર થશે

આ પણ વાંચો : Life Certificate : સમયમર્યાદામાં વધારા બાદ છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી આજેજ પતાવી લો આ કામ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">