જો લોન લેનાર મૃત્યુ પામે તો બાકીના પૈસા કોણે ચૂકવવા પડશે? જાણો નિયમ શું છે

|

Aug 08, 2021 | 12:20 PM

ભલે ગમે તે પ્રકારની લોન હોય પણ જો લેનારાનું મૃત્યુ થાય તો તેની બેંક પર અસર થતી નથી. બેંક કોઈ પણ સંજોગોમાં તેના પૈસા વસૂલ કરશે. મૃત્યુ પછી લોનની ચુકવણી સંબંધિત દરેક લોન માટે અલગ અલગ નિયમો છે.

સમાચાર સાંભળો
જો લોન લેનાર મૃત્યુ પામે તો બાકીના પૈસા કોણે ચૂકવવા પડશે? જાણો નિયમ શું છે
symbolic image

Follow us on

જો કોઈએ લોન લીધી હોય અને તેનું મૃત્યુ થાય તો બેંક તે લોનનું શું કરે છે? આ એક કુતુહુલ વાળો પ્રશ્ન છે. પણ આ માહિતી જાણવું ખુબ જરૂરી છે.લોન આપણા પૈકી મોટાભાગના લોકોએ લીધી હોય છે ત્યારે આ લેખમાં અમે જણાવીશું આવી કોઈ પણ પરિસ્થિતિમાં બેંકના લેણાં કોણ ચૂકવે છે. શું તેના અનુગામીએ બાકીની લોન ચૂકવવી પડશે અથવા આ માટે કોઈ અન્ય નિયમ છે?

ભલે ગમે તે પ્રકારની લોન હોય પણ જો લેનારાનું મૃત્યુ થાય તો તેની બેંક પર અસર થતી નથી. બેંક કોઈ પણ સંજોગોમાં તેના પૈસા વસૂલ કરશે. મૃત્યુ પછી લોનની ચુકવણી સંબંધિત દરેક લોન માટે અલગ અલગ નિયમો છે. હોમ લોનમાં આ નિયમો અલગ છે તો બીજી તરફ પર્સનલ લોન માટે પ્રક્રિયા અલગ રીતે કરવામાં આવે છે. તેથી તમારે દરેક લોન અનુસાર સમજવું પડશે તે પ્રકારની લોન લેનારના મૃત્યુ પછી લોન ચૂકવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Home Loan

જો હોમ લોન લેનારાનું મૃત્યુ થાય છે, તો સહ-અરજદાર અથવા બાંયધરી આપનાર મૃત્યુ પછી લોનની ચુકવણી માટે જવાબદાર છે. જો બંને ન હોય તો બેંક તે વ્યક્તિનો સંપર્ક કરશે જે લોન લેનારની મિલકતનો કાનૂની વારસદાર હશે. આ તમામ માર્ગો દ્વારા જો બેંકને લાગે કે તેની લોન ચૂકવવી શક્ય નથી તો તે તે મિલકતની હરાજી કરશે અને તેની બાકી રકમ મેળવશે. બદલાતા સમયમાં દરેક પ્રકારની લોનનો વીમો પણ લેવામાં આવે છે. બેંક આ વીમાનું પ્રીમિયમ ગ્રાહક પાસેથી જ ચૂકવે છે. આવી સ્થિતિમાં જો કોઈ લેનારાનું મૃત્યુ થાય છે તો બેંક વીમા કંપની પાસેથી પૈસા મેળવવાનો પણ વિકલ્પ છે.

Personal Loan

પર્સનલ લોનની વાત કરીએ તો તે બે પ્રકારની હોય છે. સુરક્ષિત અને બિન-સુરક્ષિત. સુરક્ષિત પર્સનલ લોન એફડી, મ્યુચ્યુઅલ ફંડ, વીમા પોલિસી સામેની લોન અથવા ગોલ્ડ લોન હોઈ શકે છે. આ લોનમાં બેંકને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. અસુરક્ષિત લોનના કિસ્સામાં જો લોન લેનાર મૃત્યુ પામે તો બેંક પહેલા લોન ગેરંટર અથવા સહ-અરજદારનો સંપર્ક કરે છે. જો કોઈ ગેરંટર નથી તો તે વારસદાર અને તેના પરિવારનો સંપર્ક કરે છે. ક્યારેક આવા કેસ કોર્ટ સુધી પણ પહોંચે છે.

Vehicle Loan

વેહિકલ લોન એક પ્રકારની સુરક્ષિત લોન છે. કોઈ સ્થિતિમાં જો લોન લેનાર વ્યક્તિ મૃત્યુ પામે છે તો બેંક પરિવારના સભ્યોને લોન ચૂકવવા માટે કહે છે. જો તે લોન ન ભરે તો બેન્કો વાહન વેચીને લોનની રકમ વસૂલ કરે છે.

 

આ પણ વાંચો :  LPG: હવે એક મિસ્ડ કોલથી આપના ઘરે ગેસ સિલિન્ડર પહોંચશે, જાણો કઈ રીતે

 

આ પણ વાંચો :  Sovereign Gold Bond : સસ્તું સોનુ ખરીદવું છે? જાણો ક્યાંથી, ક્યારે અને કંઈ કિંમતે મળશે

Published On - 12:17 pm, Sun, 8 August 21

Next Article