AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Positive Payment System શું છે? તે કેવી રીતે કામ કરે છે?બેંકના આ નિયમની ગ્રાહકો ઉપર શું અસર પડશે? જાણો આ તમામ પ્રશ્નોના જવાબ

આ પ્રક્રિયા NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી છે. દેશની મોટાભાગની બેંકોએ આ સિસ્ટમ લાગુ કરી છે. આરબીઆઈએ 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી પર આ સિસ્ટમ લાગુ કરી હતી પરંતુ બેંકોને સ્વતંત્રતા આપી હતી કે તેઓ 5 લાખ અથવા તેનાથી વધુની ચુકવણી પર આવું કરી શકે છે.

Positive Payment System શું છે? તે કેવી રીતે કામ કરે છે?બેંકના આ નિયમની ગ્રાહકો ઉપર શું અસર પડશે?  જાણો આ તમામ પ્રશ્નોના જવાબ
Positive Payment System
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 7:32 AM
Share

1 ઓગસ્ટથી દેશની તમામ મોટી બેંકોએ પોઝિટિવ પે સિસ્ટમ(Positive Pay System) એટલે કે PPS લાગુ કરી દીધી છે. આ બેંકોએ તેમના ગ્રાહકોને PPS હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું છે. બેંકોએ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. પાંચ લાખ કે તેથી વધુના ચેક દ્વારા પેમેન્ટ માટે રિઝર્વ બેંકે(RBI) આ સિસ્ટમ ફરજિયાત બનાવી છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો બેંક ચેક ક્લિયર કરવાનો ઇનકાર કરી શકે છે. તો આ Positive Pay System શું છે અને તે કેવી રીતે કામ કરે છે?  જાણો અમારા અહેવાલ દ્વારા

રિઝર્વ બેંકે (RBI)બેંકિંગ ફ્રોડને રોકવા માટે વર્ષ 2020માં ‘પોઝિટિવ પે સિસ્ટમ’ લાવવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈની વેબસાઈટ મુજબ ઉચ્ચ મૂલ્યના ચેકની મુખ્ય વિગતો પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ફરીથી ચકાસવામાં આવે છે. આ પ્રક્રિયા હેઠળ ચેક ઈશ્યુ કરનાર વ્યક્તિ ઈલેક્ટ્રોનિકલી, એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમ વગેરે દ્વારા બેંકને ચેકની ચોક્કસ  વિગતો આપે છે. ઉદાહરણ તરીકે ચેકની તારીખ, લાભાર્થીનું નામ, રકમ વગેરે … આ વિગતો ઈમેલ, મોબાઈલ બેંકિંગ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે આપવામાં આવે છે અને CTS એટલે કે ચેક ટ્રંકેશન સિસ્ટમ(Cheque Truncation System) દ્વારા ચેક સાથે ક્રોસચેક કરવામાં આવે છે.

PPS  કઈ રીતે કામ કરે છે?

જ્યારે ચેક બીજી બેંકમાં પેમેન્ટ કરવા માટે રજૂ કરવામાં આવે છે ત્યારે પહેલા વિગતોની ચકાસણી કરવામાં આવે છે. વિગતો બરાબર હોય  તો જ થાપણદારને રોકડ આપવામાં આવશે, અન્યથા ચેક ચૂકવણી કર્યા વિના પરત કરવામાં આવશે. આ પ્રક્રિયા NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી છે. દેશની મોટાભાગની બેંકોએ આ સિસ્ટમ લાગુ કરી છે. આરબીઆઈએ 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી પર આ સિસ્ટમ લાગુ કરી હતી પરંતુ બેંકોને સ્વતંત્રતા આપી હતી કે તેઓ 5 લાખ અથવા તેનાથી વધુની ચુકવણી પર આવું કરી શકે છે. ચેકની રકમ માટે બેંકોની અલગ અલગ મર્યાદા હોઈ શકે છે.

PPS ના ફાયદા

આ નવી સિસ્ટમ આવવાથી ચેક ફ્રોડ બંધ થશે. વેરિફિકેશન અને ઓથેન્ટિકેશનના અલગ લેવલ રાખવાથી ચેક દ્વારા ટ્રાન્ઝેક્શનની સુરક્ષામાં વધારો થશે. રિઝર્વ બેંકે આ સિસ્ટમ વિશે ઘણા સમય પહેલા જણાવ્યું હતું પરંતુ બેંકોને તેને લાગુ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. આખરે ઓગષ્ટ માસથી પોઝીટીવ પે સીસ્ટમ લાગુ કરવામાં આવી છે.

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">