AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજય માલ્યા ની જપ્ત સંપત્તિ નીલામ થઇ શકે છે , 6900 કરોડની લોનની રિકવરી માટે અદાલતે આદેશ આપ્યો

વિશેષ અદાલતનો આદેશ મળ્યા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં એક બેંક કન્સોર્ટિયમ હવે વિજય માલ્યા(Vijay Malya)ની જપ્ત કરેલી સંપત્તિ વેચી બેન્કની ફસાયેલી રકમ મેળવી શકશે.

વિજય માલ્યા ની જપ્ત સંપત્તિ નીલામ થઇ શકે છે , 6900 કરોડની લોનની રિકવરી માટે અદાલતે આદેશ આપ્યો
વિજય માલ્યા
| Updated on: Jun 04, 2021 | 8:59 AM
Share

વિશેષ અદાલતનો આદેશ મળ્યા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં એક બેંક કન્સોર્ટિયમ હવે વિજય માલ્યા(Vijay Malya)ની જપ્ત કરેલી સંપત્તિ વેચી બેન્કની ફસાયેલી રકમ મેળવી શકશે. બેંકોએ માલ્યાને તેની કિંગફિશર એરલાઇન્સ માટે લોન આપી હતી પરંતુ તેણે લોન ભરપાઈ કરી ન હતી. આરોપ છે કે લીકર કારોબારી માલ્યાએ ગેરકાયદેસર રીતે લોનની રકમ વિદેશમાં મોકલી આપી હતી.

જપ્ત સંપત્તિ વેચી બેંકોનું દેવું ભરપાઈ થશે મુંબઈની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કેસોની વિશેષ અદાલતે સપ્તાહમાં બે આદેશો પસાર કરીને માલ્યાના આર્થિક સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. આ આદેશોમાં બેંકોને માલ્યાની જપ્ત કરેલી 5646 કરોડની સંપત્તિ વેચીને લોનની રકમ પરત મેળવવાની સત્તા આપવામાં આવી હતી. 6,900 કરોડ રૂપિયાની કુલ લોનની રકમમાંથી સ્ટેટ બેંકનો સૌથી મોટો શેર 1,600 કરોડ રૂપિયા છે.

વ્યાજ સહીત દેવું ૯૦૦૦ કરોડ રૂપિયા વ્યાજ અને અન્ય જવાબદારીઓ સહિત આ રકમ હવે લગભગ 9,000 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. વિશેષ અદાલતના આદેશના આધારે બેન્કો હવે માલ્યાની જપ્ત કરેલી સંપત્તિનો કબજો લેશે અને વેચાણ અને હરાજીની પ્રક્રિયા સાથે આગળ વધશે. વિશેષ અદાલતનો નિર્ણય આવ્યા બાદ માલ્યાના વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે બંને આદેશોને પડકારવાની બાબત હજુ સુધી કહેવામાં આવી નથી. ભાગેડુ જાહેર કરાયેલ માલ્યા હાલમાં યુકેમાં જામીન પર છે. તેના પ્રત્યાર્પણનો કેસ બ્રિટિશ કોર્ટમાં પેન્ડિંગ છે.

હાલ મળ્યા યુકેમાં જામીન ઉપર ગયા વર્ષે માલ્યાએ વિવિધ ભારતીય બેંકોને 100 ટકા “સાર્વજનિક નાણાં” પાછા આપવાની વાત કરી હતી અને સરકારને તેમના પ્રસ્તાવને સ્વીકારવાની વિનંતી કરી હતી. માલ્યા એપ્રિલ 2019 માં ધરપકડ થયા બાદ પ્રત્યાર્પણ વોરંટ પર યુકેમાં જામીન પર છે.

Follow Us
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
g clip-path="url(#clip0_868_265)">