VEDIC PAINT : આજે ખાદી ઇન્ડિયા ગાયના ગોબરમાંથી બનાવેલો પેઇન્ટ લોન્ચ કરશે, જાણો તેની શું છે ખાસિયત
કેન્દ્ર સરકારે ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકાર આજે ગાયના ગોબર માંથી બનેલા વૈદિક પેઇન્ટનું લોકાર્પણ કરવા જઈ રહી છે.

કેન્દ્ર સરકારે ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકાર આજે ગાયના પોદરા (ગોબર) માંથી બનેલા વૈદિક પેઇન્ટનું લોકાર્પણ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ પાછળનો સરકારનો હેતુ ખેડૂતોને વધારાની આવક પહોંચાડવાનો છે. Khadi and Village Industries Commission આ પેઇન્ટ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
ડિસ્ટમ્પર અને ઇમલ્શનમાં આવનારો આ પેઇન્ટ ઇકો ફ્રેન્ડલી, નોન ટોક્સિક, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને વોશેબલ હશે જે ફક્ત ચાર કલાકમાં સુકાઈ જશે. આ પ્રોજેક્ટના કારણે પશુધન રાખનારા ખેડુતોને એક વર્ષમાં 55 હજાર રૂપિયાની વધારાની આવક થશે. આજે ગાયના ગોબરમાંથી બનાવેલો પેઇન્ટ ખાદી ભારત તરફથી લોન્ચ કરવામાં આવશે.
વેદિક પેઇન્ટની વિશેષતા સરકાર દ્વારા જારી માહિતી મુજબ આ પેઇન્ટ એન્ટિફંગલ, એન્ટીબેક્ટેરિયલ છે. ઉપરાંત, તેની કિંમત પણ ઘણી ઓછી છે. આ સિવાય તેમાં ભારે ધાતુઓ અને ઝેરી તત્વો નથી. જે લોકો પશુધન રાખે છે તેમને એક વર્ષમાં 55 હજાર રૂપિયાની વધારાની આવક થશે. રંગમાં કુદરતી રંગદ્રવ્યો ના મિશ્રણની પ્રક્રિયા દ્વારા રંગ તૈયાર કરવામાં આવે છે.
તેનું પેકિંગ 2 થી 30 લિટર સુધી તૈયાર કરવામાં આવ્યું છે. 100 કિલો ગોબરમાંથી 35-40 કિલો પેઇન્ટ તૈયાર કરી શકાય છે. આ પેઇન્ટ બનાવવું એ ક્રાંતિકારી પગલું છે. આ ગોપાલકની આવક વધારવાની સાથે સાથે કોરોના સમયગાળામાં નવો વિકલ્પ પણ તૈયાર થશે.
આયુર્વેદમાં ગૌમૂત્રનું તબીબી મહત્વ જણાવવામાં આવ્યું છે. આમાંથી ઘણા રોગોની દવાઓ બનાવવામાં આવે છે. પીડા નિવારક હોવા સાથે, આયુર્વેદમાં રક્તપિત્ત અને ત્વચાના અન્ય રોગોની સારવાર ગૌમૂત્રથી કરવામાં આવે છે. કમળો અને કેટલાક શ્વસન રોગોની દવા પણ બનાવવામાં આવે છે. ગંભીર રોગોમાં અસરકારક માનવામાં આવે છે.
ગાયના ગોબરમાંથી સારી ગુણવત્તાની કાગળ પણ તૈયાર કરવામાં આવે છે અને કેરી બેગ પણ બનાવવામાં આવી છે. રાજસ્થાનના જયપુરના કુમારપ્પા નેશનલ હેન્ડમેડ પેપર ઇન્સ્ટિટ્યૂટમાં ગાયના છાણમાંથી કાગળ બનાવવાની પદ્ધતિ શીખવવામાં આવે છે. લોકોને ‘વડા પ્રધાન રોજગાર જનરેશન પ્રોગ્રામ’ અંતર્ગત આ અંગે જાગૃત કરવામાં આવ્યા છે.