Budget 2023 : બજેટને કેન્દ્રીય બજેટ કેમ કહેવામાં આવે છે, શું છે તેનું મહત્વ?

|

Jan 30, 2023 | 7:26 PM

'Budget' શબ્દ ફ્રેન્ચ શબ્દ Bougette પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની બ્રીફકેસ. ભૂતકાળમાં નાણામંત્રી બજેટ રજૂ કરવા માટે ચામડાની બેગનો ઉપયોગ કરતા હતા.

Budget 2023 : બજેટને કેન્દ્રીય બજેટ કેમ કહેવામાં આવે છે, શું છે તેનું મહત્વ?
Budget 2023

Follow us on

નિર્મલા સીતારમણ  આગામી 1 ફેબ્રુઆરીએ દેશ સમક્ષ 2023નું બજેટ રજૂ કરશે. સામાન્ય લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હવે કેટલાક એવા પ્રશ્નો છે જે હંમેશા સામાન્ય લોકોના મનમાં આવે છે. જેમ કે બજેટ કેવું હશે ? બજેટમાં શું થાય છે ? બજેટ શા માટે રજૂ કરવામાં આવે છે ? આજે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે બજેટને કેન્દ્રીય બજેટ કેમ કહેવામાં આવે છે ? આજે અમે તમને જણાવીશું કે બજેટને કેન્દ્રીય બજેટ કેમ કહેવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

બજેટને કેન્દ્રીય બજેટ કેમ કહેવામાં આવે છે?

કેન્દ્રીય બજેટ શબ્દ અસ્તિત્વમાં આવ્યો કારણ કે ભારત રાજ્યોનું સંઘ છે. ભારતના બંધારણે ભારતમાં સરકારના સંઘીય સ્વરૂપની સ્થાપના કરી છે. તેથી જ તેને રાજ્યોનું સંઘ કહેવામાં આવે છે. ભારતમાં, 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવતા એક સંઘની સ્થાપના કરવામાં આવી છે. ભારતનું કેન્દ્રીય બજેટ, જેને ભારતના બંધારણની કલમ 112માં વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતીય પ્રજાસત્તાકનું વાર્ષિક બજેટ છે. હવે જ્યારે દેશ સંઘીય માળખા પર છે. તેના બજેટને કેન્દ્રીય બજેટ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : Tax scheme : હવે જૂના ટેક્સ વિવાદો આસાનીથી ઉકેલાશે, નાણામંત્રી લાવી શકે છે, આવકવેરા માફીની યોજના

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બજેટ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ

ઉલ્લેખનીય છે કે ‘બજેટ’ શબ્દ ફ્રેન્ચ શબ્દ Bougette પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની બ્રીફકેસ. ભૂતકાળમાં નાણામંત્રી બજેટ રજૂ કરવા માટે ચામડાની બેગનો ઉપયોગ કરતા હતા. 2019 માં, જ્યારે સીતારમણે તેણીનું પ્રથમ બજેટ રજૂ કર્યું, ત્યારે તેણે બજેટ બ્રીફકેસને ‘વહી ખાતા’ સાથે બદલી નાખ્યું.

કેન્દ્રીય બજેટનું મહત્વ

  1. કેન્દ્રીય બજેટ માત્ર એક હિસાબી દસ્તાવેજ કરતાં ઘણું વધારે છે. તે સરકારની વ્યાપક નીતિની સ્થિતિને પણ જાહેર કરે છે અને નાણાકીય સુધારા માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
  2. કેન્દ્રીય બજેટનો સામાન્ય ઉદ્દેશ્ય આપણા દેશમાં સામાજિક ન્યાય અને સમાનતા સાથે ઝડપી અને સંતુલિત આર્થિક વિકાસ લાવવાનો છે.
  3. તેનો હેતુ સંસાધનોની કાર્યક્ષમ ફાળવણીને સુનિશ્ચિત કરવાનો, બેરોજગારી અને ગરીબીનું સ્તર ઘટાડવા, સંપત્તિ અને આવકની અસમાનતા ઘટાડવા, કિંમતોને નિયંત્રિત કરવા અને કર માળખામાં ફેરફાર કરવાનો છે.
  4. અનુચ્છેદ 112-117 મુજબ ખર્ચ અને અનુદાનની માંગણી માટેની કોઈપણ દરખાસ્ત રાષ્ટ્રપતિની ભલામણ પર જ કરી શકાય છે.
  5. કલમ 77(3) મુજબ, કેન્દ્રીય નાણા મંત્રીને બજેટની તૈયારી માટે જવાબદાર બનાવવામાં આવે છે જેને વાર્ષિક નાણાકીય નિવેદન પણ કહેવામાં આવે છે અને તે સંસદ દ્વારા હાથ ધરવામાં આવે છે.
  6. મંત્રાલયો, સંસ્થાઓ, કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યો એકસાથે યોજનાઓ મૂકે છે અને નાણા પ્રધાનને સુપરત કરે છે, જેઓ સંપૂર્ણ વિચાર-વિમર્શ પછી તેને સંસદમાં રજૂ કરે છે.

Published On - 3:08 pm, Thu, 26 January 23

Next Article