AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atal Bimit Vyakti Kalyan Yojana:: શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના કપરા સમયમાં મુશ્કેલી હળવી કરશે, જાણો શું છે યોજના અને અરજીની પ્રક્રિયા

Atal Bimit Vyakti Kalyan Yojana :કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે 'અટલ બિમિત વ્યાખ્યા કલ્યાણ યોજના' ને 30 જૂન 2022 સુધી લંબાવી દીધી છે. આ અગાઉ આ યોજના 30 જૂન 2021 સુધી હતી.

Atal Bimit Vyakti Kalyan Yojana:: શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના કપરા સમયમાં મુશ્કેલી હળવી કરશે, જાણો શું છે યોજના અને અરજીની પ્રક્રિયા
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 10:56 AM
Share

Unemployment allowance: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ અટલ બીમિત વ્યાખ્યા કલ્યાણ યોજના(Atal Beemit Vyakti Kalyan Yojana)નો વિસ્તાર કર્યો છે. હવે જે લોકોએ નોકરી ગુમાવી છે તેમને 30 જૂન, 2022 સુધી બેરોજગારી ભથ્થું મળશે. કોઈ પણ કારણોસર નોકરી ગુમાવનારને 3 મહિના માટે કુલ પગારનું 50 ટકા બેરોજગારી ભથ્થું આપવાની યોજના છે.

કોરોનાકાળ દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. સરકાર બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપે છે. બેરોજગારોને ભથ્થું આપવા માટે સરકારે ‘અટલ બીમિત વ્યાખ્યા કલ્યાણ યોજના’ નામની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 50 હજારથી વધુ લોકોને લાભ મળ્યો છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) આ યોજના ચલાવે છે.કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે ‘અટલ બિમિત વ્યાખ્યા કલ્યાણ યોજના’ ને 30 જૂન 2022 સુધી લંબાવી દીધી છે. આ અગાઉ આ યોજના 30 જૂન 2021 સુધી હતી.

‘અટલ બિમિત વ્યાક્તિ કલ્યાણ યોજના’ શું છે? અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ બેરોજગાર લોકોને નોકરી ગુમાવવાના કિસ્સામાં આર્થિક મદદ માટે ભથ્થું આપવામાં આવે છે. બેરોજગાર વ્યક્તિ આ ભથ્થાનો 3 મહિના સુધી લાભ લઇ શકે છે. 3 મહિના સુધી તે સરેરાશ પગારના 50% દાવો કરી શકે છે. બેરોજગાર બન્યાના 30 દિવસ પછી આ યોજનામાં જોડાઈને દાવો કરી શકાય છે.

યોજનાનો લાભ કોણ લઇ શકે? 1. આ યોજનાનો લાભ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો બેરોજગાર બને ત્યારે લઈ શકે છે જેની કંપની દર મહિને PF / ESI પગાર કાપે છે. 2. ESI નો લાભ ખાનગી કંપનીઓ, ફેકટરીઓ અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. આ માટે ESI કાર્ડ બનાવવામાં આવે છે. 3. કર્મચારીઓ આ કાર્ડ અથવા કંપનીમાંથી લાવેલા દસ્તાવેજના આધારે યોજનાનો લાભ લઈ શકે છે. ESI નો લાભ તે કર્મચારીઓને મળે છે જેમની માસિક આવક 21 હજાર રૂપિયા અથવા તેનાથી ઓછી હોય.

આ રીતે નોંધણી કરાવો 1. યોજનાનો લાભ લેવા માટે તમારે પહેલા ESIC ની વેબસાઇટ પર અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. 2. https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793e9098d125.pdf 3. હવે ફોર્મ ભરો અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની નજીકની શાખામાં સબમિટ કરો. 4. ત્યારબાદ, ફોર્મ રૂ .20 ના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોટરીના સોગંદનામા સાથે હશે. 5. આ ફોર્મમાં AB-1 થી AB-4 સબમિટ કરવામાં આવશે. 6. જો તમે ખોટા આચરણને કારણે તમારી નોકરી ગુમાવશો તો કોઈ ફાયદો થશે નહીં. 7. જે લોકોને ખોટા આચરણને કારણે કંપનીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેમને યોજનાનો લાભ મળશે નહીં. આ સિવાય જે કર્મચારીઓએ ફોજદારી કેસ નોંધાવ્યો હોય અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી હોય તેઓ પણ યોજનાનો લાભ લઈ શકશે નહીં.

આ પણ વાંચો :  7th Pay Commission: કેન્દ્ર સરકાર DA અને પગારમાં ફરી વધારો કરશે, જાણો કેટલો મળશે લાભ

આ પણ વાંચો : Income Tax Recruitment 2021: સ્નાતકો માટે નોકરી મેળવવાની ઉજ્જવળ તક , જાણો કેવી રીતે કરવી અરજી

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">