AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારની આ યોજના દ્વારા પરિણીત યુગલ દર મહિને મેળવી શકે છે 10,000 રૂપિયા

લોકો તેમના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે આયોજન કરતા હોય છે, આવી સ્થિતિમાં સરકારી અને ખાનગી સંસ્થાની નિવૃત્તિ યોજનાઓ તેમના જીવનનો એક ભાગ બની જાય છે.

સરકારની આ યોજના દ્વારા પરિણીત યુગલ દર મહિને મેળવી શકે છે 10,000 રૂપિયા
government pension scheme (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 3:13 PM
Share

અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) દરેક વ્યક્તિ પોતાના વૃદ્ધાવસ્થાની ચિંતા કરે છે. જો તમે તમારા વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે ઉજ્જવળ બનાવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. લોકોની જરૂરિયાતોને સમજીને, સરકાર ઘણી યોજનાઓ અમલમાં લાવી છે, જ્યાં તમે તમારી આર્થિક સધ્ધરતા મુજબ રોકાણ કરીને ભવિષ્યમાં સારો નફો મેળવી શકો છો. જો તમે તમારી નિવૃત્તિ (Retirement) બાદનું જીવન આર્થિક રીતે સુરક્ષિત કરવા માંગતા હોવ તો, તો તમે સરકારની અટલ પેન્શન યોજના ( Atal Pension Yojana-APY ) માં રોકાણ કરી શકો છો.

અટલ પેન્શન યોજનામાં સુરક્ષાની સાથે રોકાણકારોને સારું વળતર મળે છે. યોજના હેઠળ, પતિ અને પત્ની પોતાના 2 અલગ અલગ ખાતા ખોલીને મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. એટલું જ નહીં, સરકારની આ યોજનાનો એક ફાયદો એ છે કે તે રોકાણકારોને ઈનકમટેક્સ બચાવવામાં પણ મદદ કરે છે.

આવો જાણીએ અટલ પેન્શન યોજના અંગે.

અટલ પેન્શન યોજનાના લાભ

કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા રોકાણના આધારે, તેમને આ અટલ પેન્શન યોજના હેઠળ દર મહિને રૂ. 1,000 અથવા તો 1000ના ગુણાકમાં રૂપિયા પાંચ હજાર સુધી મળશે. જો કોઈ વ્યક્તિ 5,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માંગે છે, તો તેણે 18 વર્ષની ઉંમરથી જ દર મહિને અટલ પેન્શન યોજના 210 રૂપિયા જમા કરાવવા પડશે. આ યોજનામાં 18 વર્ષની ઉમરે રોકાણ કરનારને 60 વર્ષની ઉમર બાદ દર મહિને રૂપિયા 5000નું પેન્શન મળે છે.

કેવી રીતે મેળવવું 10,000 રૂપિયાનું માસિક પેન્શન ?

જો કોઈ પરિણીત યુગલ દર મહિને રૂપિયા 10,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગે છે, તો તેઓ આ યોજના હેઠળ અલગથી તેમનું ખાતું ખોલાવી શકે છે. આમ કરવાથી તેમને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મળશે. જો પતિ-પત્નીની ઉંમર 30 વર્ષ કે તેથી ઓછી હોય, તો તેઓએ તેમના અટલ પેન્શન યોજનાના ખાતામાં દર મહિને રૂપિયા 577 રૂપિયાનું યોગદાન આપવું પડશે.

આ પણ વાંચોઃ

બજેટમાં મોદી સરકારે કરી આ મોટી જાહેરાત, લાભ ઉઠાવવા માટે ગૌતમ અદાણીએ 4 દિવસમાં જ બનાવી દીધી એક નવી કંપની

આ પણ વાંચોઃ

Joint Home Loan: પર્સનલ હોમલોનની સરખામણીએ આ લોન કેટલી લાભદાયક? જાણો અહેવાલ દ્વારા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">