RBIના આ નિર્ણયથી Fixed Depositના રોકાણકારોને મોટી રાહત મળશે , જાણો વિગતવાર

|

Apr 07, 2021 | 5:21 PM

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આજે RBIએ સતત છઠ્ઠી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

RBIના આ નિર્ણયથી Fixed Depositના રોકાણકારોને મોટી રાહત મળશે , જાણો વિગતવાર

Follow us on

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આજે RBIએ સતત છઠ્ઠી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જાણકારો કહે છે કે RBIએ અપેક્ષા મુજબ નિર્ણય લીધો છે. ત્રણ દિવસીય બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકિંતા દાસે કહ્યું, ‘આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે 4 ટકાના દરે જાળવવામાં આવે છે.

FD રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે
RBIના આ નિર્ણય પછી હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અનુક્રમે 4 ટકા અને 3.35 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો છે. નીતિ વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવો તે ફિક્સ ડિપોઝીટ દ્વારા બચત કરનારાઓ માટે સારા સમાચાર છે. બેન્કો FD પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે નિર્ણય લેશે નહીં. હાલમાં, બેન્કો એફડી પર 2.9 ટકાથી 5.4 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

બેંકમાં પૈસા જમા કરનારાઓ પર શું અસર થશે?
RBI દ્વારા નીતિ વ્યાજના દરમાં ઘટાડો કરે તો બેન્કો પણ એફડી દર ઘટાડે છે. જોકે, થાપણ દરમાં આ ઘટાડો રેપો રેટના પ્રમાણમાં નથી. જો તમે બેંકમાં પૈસા જમા કરનાર રોકાણકાર તરીકે જુઓ તો વ્યાજ દર ઘટાડવાનો અર્થ એ છે કે ખાતામાં નવી થાપણો પર ઓછું વ્યાજ મળશે. ઓછા વ્યાજ એટલે કે થાપણ કરનારની થાપણ પણ ઓછા વળતર મેળવશે. વ્યાજ દર વધારવાનો અર્થ એ છે કે થાપણ પર વધુ વળતર મળશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Published On - 5:21 pm, Wed, 7 April 21

Next Article