AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક, શુક્રવારે રેપો રેટ અને અન્ય નીતિ દર જાહેર કરવામાં આવશે

ભારતીય રિઝર્વ બેંક (RBI) નાણાકીય નીતિ સમિતિ (MPC) ની દ્વિ-માસિક ત્રણ દિવસીય બેઠક શરૂ થઇ છે. આ સમિતિ આરબીઆઈના મુખ્ય નીતિ દર નક્કી કરે છે.

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક,  શુક્રવારે રેપો રેટ અને અન્ય નીતિ દર જાહેર કરવામાં આવશે
Ankit Modi
| Edited By: | Updated on: Feb 04, 2021 | 12:00 PM
Share

ભારતીય રિઝર્વ બેંક (RBI) નાણાકીય નીતિ સમિતિ (MPC) ની દ્વિ-માસિક ત્રણ દિવસીય બેઠક શરૂ થઇ છે. આ સમિતિ આરબીઆઈના મુખ્ય નીતિ દર નક્કી કરે છે. આશા છે કે આરબીઆઈની એમપીસી વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરશે નહીં અને નાણાકીય વલણને ઉદારવાદી રાખશે.

બદલાવ ન થાય તો વૃદ્ધિને વેગ આપવા માટે જરૂરી નાણાકીય પગલાં સક્ષમ બનશે. નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યા પછી MPC ની આ પહેલી બેઠક છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે MPC 5 ફેબ્રુઆરીએ જાહેર થનાર દ્વિ-માસિક નીતિ દરમાં બેંચમાર્ક રેપો રેટ ઘટાડવાનું ટાળશે. આ સિસ્ટમમાં પૂરતા પ્રમાણમાં લીકવીડિટીની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે અને તેનાથી માળખાગત ક્ષેત્રમાં રોકાણ વધશે.

આરબીઆઈના ગવર્નર શક્તિકિંતા દાસના નેતૃત્વમાં છ સભ્યોની MPC એ ચર્ચા વિચારણા શરૂ કરી દીધી છે. ત્રણ દિવસની બેઠક બાદ 5 ફેબ્રુઆરીએ એમપીસીના નિર્ણયોની ઘોષણા કરવામાં આવશે. એમપીસીએ છેલ્લા ત્રણ બેઠકોમાં મુખ્ય નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. હાલમાં રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તર પર છે.

આરબીઆઈ બેંકોને રેપો રેટ પર ટૂંકા ગાળાની લોન આપે છે. તે જ સમયે, રિવર્સ રેપો રેટ હાલમાં 3.35 ટકા છે. આ દરે, બેંકો તેમની થાપણો રિઝર્વ બેંકમાં જમા કરે છે. ગયા વર્ષે ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે. નિષ્ણાતો કહે છે કે આરબીઆઈ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરવાથી દૂર રહેશે અને નીતિ સમીક્ષામાં નાણાકીય વલણને ઉદાર રાખશે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">