ક્રિપ્ટોકરન્સી બાબતે સરકારે મહત્વનું નિવેદન જારી કર્યું, જાણો શું કહ્યું નાણાં મંત્રાલયે
રાજ્યસભામાં એક સવાલના જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, સરકાર ક્રિપ્ટોકરન્સી બિલ(Cryptocurrency Bill) ને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે.
રાજ્યસભામાં એક સવાલના જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, સરકાર ક્રિપ્ટોકરન્સી બિલ(Cryptocurrency Bill) ને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે. તેને ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં મોકલવામાં આવશે.
વર્ષ 2018 માં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ક્રિપ્ટોકરન્સી સંબંધિત વ્યવહાર પ્રતિબંધિત કર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે માર્ચમાં આ પ્રતિબંધ હટાવ્યો હતો. દેશમાં ક્રિપ્ટોકરન્સી માટે પૂરતો કાયદો નથી. આવી સ્થિતિમાં સરકાર ક્રિપ્ટો ચલણ પર કેટલાક વધુ કાયદા બનાવવાની વિચારણા કરી રહી છે. સરકારે 17 મી લોકસભાના બજેટ સત્રમાં બિલ સૂચિબદ્ધ કર્યું હતું, જેમાં બિટકોઇન, ઈથર, રિપ્લ જેવા ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે.
શા માટે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગી રહ્યો છે? 25 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલી પુસ્તિકામાં આરબીઆઈએ કહ્યું હતું કે સરકાર ક્રિપ્ટોકરન્સી અને તેની સાથે આવતા જોખમને લઈને સાવધાન છે. હાલમાં ચલણના ડિજિટલાઇઝેશનના વિકલ્પ વિશે વિચારવામાં આવી રહ્યું છે. ક્રિપ્ટોકરન્સી એક વિકેન્દ્રિત ચુકવણી પ્રણાલી છે. આનો અર્થ એ કે તે કોઈ પણ સેન્ટ્રલ બેંક દ્વારા પરંપરાગત ચલણ દ્વારા નિયંત્રિત નથી. આને કારણે આરબીઆઈ જેવી કેન્દ્રીય બેન્કો માટે ચિંતાનો વિષય છે. આરબીઆઈની જેમ યુરોપિયન સેન્ટ્રલ બેંકને પણ ક્રિપ્ટોકરન્સી સામે ચેતવણી આપવામાં આવી છે.
ક્યા પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે? ડિજિટલ અથવા ક્રિપ્ટો ચલણો ઇન્ટરનેટ પર કાર્યરત વર્ચ્યુઅલ ચલણ છે. બિટકોઈન સિવાય વિશ્વમાં રેડ કોઇન, સિયા , સિસ્કોકોઇન, વોઇસ અને મોનેરો જેવી બીજી સેંકડો ક્રિપ્ટો કરન્સી છે. ક્રિપ્ટોકરન્સીનો નફો એકદમ ઊંચો છે. ઓનલાઇન ખરીદી સાથે ટ્રાન્ઝેકશન સરળ છે. ક્રિપ્ટો ચલણ માટે કોઈ નિયમનકારી સંસ્થા નથી તેથી ડિમોનેટાઇઝેશન અથવા ચલણના અવમૂલ્યન જેવી પરિસ્થિતિઓ તેના પર કોઈ અસર કરતી નથી. જ્યારે બિટકોઇન વર્ષ 2009 માં લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે તેની કિંમત શૂન્ય ડોલર હતી. 2010 માં પણ તેની કિંમત 1 ડોલર સુધી પહોંચી ન હતી પરંતુ આજે બિટકોઇનનો દર 44,000 ડોલર છે.