Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hikal ના પાનોલી યુનિટમાં પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન બદલ GPCB ક્લોઝર નોટિસ ફટકારતા કંપનીનો શેર 8% તૂટ્યો

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) એ ફાર્મા કંપનીને પર્યાવરણીય ધોરણોના કથિત ઉલ્લંઘન બદલ ભરૂચ સ્થિત Hikal Limited પ્લાન્ટમાં ઉત્પાદનનીકામગીરી બંધ કરવા ક્લોઝર નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી પછી Hikal Limited ના શેરના ભાવમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો હતો

Hikal ના પાનોલી યુનિટમાં પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન બદલ  GPCB ક્લોઝર નોટિસ ફટકારતા કંપનીનો શેર 8% તૂટ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 6:43 AM

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) એ ફાર્મા કંપનીને પર્યાવરણીય ધોરણોના કથિત ઉલ્લંઘન બદલ ભરૂચ સ્થિત Hikal Limited પ્લાન્ટમાં ઉત્પાદનનીકામગીરી બંધ કરવા ક્લોઝર નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી પછી Hikal Limited ના શેરના ભાવમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ – NSE પર કંપનીનો શેર 278 રૂપિયાના ભાવે બંધ થયો હતો.

ગુજરાત પ્રદુષણ નિયંત્ર બોર્ડ -જીપીસીબીએ Hikal Limited ને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ 1986 ની કેટલીક જોગવાઈઓના કથિત ઉલ્લંઘન બદલ ભરૂચ જિલ્લામાં આવેલી PANOLI GIDC ખાતેના પ્લાન્ટની કામગીરી 15 દિવસની અંદર બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કંપનીનું નિવેદન

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, Hikal પર્યાવરણીય અનુપાલનને અત્યંત ગંભીરતાથી લે છે અને નિયમોનું પાલન અને પર્યાવરણીય સંવાદિતા જાળવવાના મહત્વને સમજે છે. “અમે અમારા હિતધારકોને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે નિયમનકારી સત્તધીશો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરવા માટે તાત્કાલિક અને યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ”

આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી

વધુમાં ઉમેર્યું હતું કે નિર્દેશ પાછળના કારણો સમજવા અને નિરાકરણ મેળવવા માટે કંપની GPCB સાથે સંકલનમાં છે.”અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે ક્લોઝરની દિશા પુનર્વિચારને પાત્ર છે અને અમે સંબંધિત અધિકારીઓને આ બાબતે અમારું વલણ વ્યક્ત કર્યું છે”

કંપનીની આર્થિક સ્થિતિ

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 74 ટકા વધીને રૂપિયા 36 કરોડ નોંધાયો હતો. કુલ આવક રૂ. 545 કરોડ પર પહોંચી છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 502 કરોડની સરખામણીએ 9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.ઓપરેટિંગ સ્તરે વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ પહેલાની કમાણી અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 61 કરોડથી રૂ. 48 ટકા વધીને રૂ. 90 કરોડ થઈ હતી.

ભરૂચ જિલ્લાના પ્લાન્ટને મળી નોટિસ

કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે તેને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તરફથી 21મી જુલાઈના રોજ આદેશ મળ્યો છે જેમાં તેને આદેશની તારીખથી 15 દિવસની અંદર ભરૂચમાં  પાનોલી GIDC ખાતેના તેના પ્લાન્ટની કામગીરી બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 22 જુલાઈના રોજ ઓર્ડર મળ્યો હતો જે કથિત ઉલ્લંઘનના સંદર્ભમાં ઈશ્યુ કરવામાં આવ્યો હતો. આ આદેશ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ 1986 ની કેટલીક જોગવાઈઓના કથિત ઉલ્લંઘન સાથે સંબંધિત છે.

Hikal Limited ના શેરની છેલ્લી સ્થિતિનું અપડેટ

  • Closing Price : 278.00 −24.40 (8.07%)
  • 52-wk high : 427.80
  • 52-wk low : 245.30

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">