Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Steel Q1 Results: ટાટા ગ્રુપની કંપનીનો નફો 92% ઘટ્યો, આવકમાં પણ ઘટાડો થયો

Tata Steel Q1 Results: ટાટા ગ્રૂપ(Tata Group) ની સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા સ્ટીલ(Tata Steel)નો નેટ પ્રોફિટ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 93% ઘટીને રૂપિયા 524.85 કરોડ થયો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું કે ખર્ચમાં વધારો થવાને કારણે તેનો નફો ઘટ્યો છે.

Tata Steel Q1 Results: ટાટા ગ્રુપની કંપનીનો નફો 92% ઘટ્યો, આવકમાં પણ ઘટાડો થયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 6:56 AM

Tata Steel Q1 Results: ટાટા ગ્રૂપ(Tata Group) ની સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા સ્ટીલ(Tata Steel)નો નેટ પ્રોફિટ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 92% ઘટીને રૂપિયા 524.85 કરોડ થયો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું કે ખર્ચમાં વધારો થવાને કારણે તેનો નફો ઘટ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 7,714 કરોડનો નફો કર્યો હતો.

આવકમાં ઘટાડો

કંપનીની કુલ આવક પણ જૂન ક્વાર્ટરમાં 4.75% ઘટીને રૂપિયા 60,666.48 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તે રૂપિયા 63,698.15 કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ટાટા સ્ટીલનો ખર્ચ વધીને રૂપિયા 58,553.25 કરોડ થયો છે જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂપિયા 51,912.17 કરોડ હતો.

ટાટા સ્ટીલે ટી વી નરેન્દ્રને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે 5 વર્ષની બીજી મુદત માટે નિયુક્ત કર્યા છે. નરેન્દ્રનનો નવો કાર્યકાળ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, તેમનો વર્તમાન કાર્યકાળ 18 સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો છે.

IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો

ટાટા સ્ટીલે કહ્યું કે આ નિમણૂક પર શેરધારકોની મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલી રહી  છે.  આ પહેલા, તેમને 1 નવેમ્બર, 2013 ના રોજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા) બનાવવામાં આવ્યા હતા.

શેર ઘટાડા સાથે બંધ થયો

અહેવાલ અનુસાર નફો ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરમાં 63% ઓછો હતો જ્યારે અગાઉના ક્વાર્ટરની તુલનામાં આવકમાં 5% ઘટાડો થયો હતો.બોર્ડે 19 સપ્ટેમ્બરથી અમલી બનેલા બીજા પાંચ વર્ષ માટે ટી વી નરેન્દ્રનની CEO અને MD તરીકે પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે.પુનઃનિયુક્તિ કંપનીના શેરધારકોની મંજૂરીને આધીન છે. CEO અને MD તરીકે નરેન્દ્રનનો વર્તમાન કાર્યકાળ 18 સપ્ટેમ્બરે પૂરો થશે.

કંપનીએ ક્વાર્ટર દરમિયાન મૂડી ખર્ચ પર રૂ. 4,089 કરોડનો ખર્ચ કર્યો છે. જૂન ક્વાર્ટરના અંતે ચોખ્ખું દેવું રૂ. 71,397 કરોડ છે જ્યારે ગ્રૂપ લિક્વિડિટી રૂ. 30,569 કરોડ હતી. સોમવારે ટાટા સ્ટીલનો શેર ઘટાડા સાથે બંધ થયો હતો. શેર NSE પર 115.25 પર બંધ થયો હતો. આ શેર 1.35 રૂપિયા અનુસાર 1.16% ઘટાડા સાથે બંધ થયો હતો.

ડિસ્ક્લેમર : અહેવાલનો હેતુ વાંચકને શેરના પર્ફોમન્સ સંબંધિત માહિતી પુરી પાડવાનો છે.અહીં એ સમજવું જરૂરી છે કે શેરમાં રોકાણએ શેરબજારના જોખમોને આધીન હોય છે. આ માટે રોકાણ પહેલા તમારે આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ તેવી અમારી સલાહ છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">