AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : તેજીથી ઝગમગતો એક સમયનો જરી ઉદ્યોગ પડ્યો મંદો, ભાવ 15 ટકા વધ્યા છતાં ખિસ્સા ખાલી

સુરતનો સૌથી પારંપરિક ઉધોગ ગણાતો જરી ઉધોગ હાલ મરણપથારીએ પડ્યો છે એવું કહીએ તો પણ ખોટું નથી. કોરોના પછી આ ઉધોગની હાલ વધુ કફોડી થઇ છે.

Surat : તેજીથી ઝગમગતો એક સમયનો જરી ઉદ્યોગ પડ્યો મંદો, ભાવ 15 ટકા વધ્યા છતાં ખિસ્સા ખાલી
Surat: Surat's zari industry on the verge of death, profit nil despite 15 per cent increase in zari prices
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 8:28 PM
Share

સુરતની અસ્સલ ઓળખ ટેક્સ્ટાઇલ ડાયમંડ કરતા પણ પહેલા જરી ઉધોગની છે. આ ઉધોગ સુરતનો સૌથી જૂનો છે. મૂળ સુરતીઓ પણ આ ઉધોગ સાથે વર્ષોથી જોડાયેલા છે. અને પરાંપરાગત રીતે તેને ચલાવતા આવ્યા છે. જોકે આજે આ ઉધોગ મરણપથારીએ આવીને પડ્યો છે. ખાસ કરીને કોરોના પછી આ ઉધોગ અને તેની સાથે સંકળાયેલા લોકો સાથે મરણતોલ ફટકો બની ગયો છે.

સુરતની ઓળખ સમાન આ જરી ઉદ્યોગ હાલ બદલાતી ફેશન અને વધતી મોંઘવારીના કારણે પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. સુરતના જરી ઉધોગકારોને આશા હતી કે કોરોનાની બીજી લહેર બાદ જરીની ડિમાન્ડ વધશે. પરંતુ તેવું નથી થયું. જરી ઉદ્યોગકારોની આશા પર પાણી ફરી વળ્યું છે.

છેલ્લા બે મહિનામાં જરીના ભાવમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. જેની સામે વેચાણ પાંચ ટકા પણ વધ્યું નથી. અન્ય રાજ્યોના વેપારીઓ જરીને વધેલી કિંમત પર ખરીદવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે રિટેલ માર્કેટ હાલ ખુબ નબળું છે. સુરતમાં બનનારી જરીની સૌથી વધારે ડિમાન્ડ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, વગેરે રાજ્યોમાં છે. આ ઉપરાંત બનારસ, પંજાબ અને દિલ્હીમાં પણ તેની માંગ રહેતી હોય છે.

જરી નો ઉપયોગ સાડીમાં વેલ્યુ એડિશન તરીકે કરવામાં આવે છે. આ પ્રકારની સાડીઓની સૌથી વધારે ડિમાન્ડ દક્ષિણના રાજ્યોમાં રહે છે. જોકે હાલ અન્ય રાજ્યોના વેપારીઓનું કહેવું છે કે કોરોના ના કારણે લોકોની નોકરી છૂટી ગઈ છે, પગાર ઘટી ગયો છે, અથવા તો બીમારી કે અન્ય કોઈ ખર્ચને કારણે તેઓની ખરીદશક્તિ પણ ઘટી ગઈ છે. જેથી તેઓ વધારે ખર્ચ કરવાથી બચી રહ્યા છે.

તેવામાં રિટેલ વેપારીઓને જયારે સુરતના વેપારીઓ વધેલી કિંમત વિષે જણાવે છે ત્યારે વેપારી માલ ખરીદવાથી ઇન્કાર કરી દે છે. આવ સ્થિતિમાં ગ્રાહકો જાળવી રાખવા માટે સુરતના વેપારીઓ ઓછા લાભથી કે કોઈપણ લાભ લીધા વગર પણ માલ વેચી રહ્યા છે.

ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ જરીના પ્રમુખના જણાવ્યા પ્રમાણે કોપરમાં 25 ટકા, પોલિયેસ્ટર યારતનમાં 20 ટકા, પરિવહન ખર્ચમાં 5 ટકા અને કારીગરોના વેતન-મજૂરોમાં 10 ટકા વધારો થયો છે. જેના કારણે તેની સીધી અસર જરીના ભાવ પર પડી છે. જરીની તમામ ક્વોલિટીમાં 15 ટકા ભાવ વધારવા પડ્યા છે. પણ તેની સામે ખરીદદારો 5 ટકા પણ વધારે ભાવ ચૂકવી નથી રહ્યા.

આ પણ વાંચો :

Surat : મુંબઈ અને ગુજરાતના 6 પરિવારો ઘરને તાળું મારીને અપનાવશે સંયમનો માર્ગ

Surat : ડાયમંડ બુર્સ પછી હવે જવેલરી માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવા થનગનાટ શરૂ, જાણો શું થશે ફાયદા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">