AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Industries ના રોકાણકારો માટે ખુશખબર, RILનો શેર 3,400 ની સપાટી બતાવશે તેવું વિદેશી બ્રોકરેજ હાઉસનું અનુમાન

વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે અનુમાન લગાવ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)નો શેર રૂ. 3,400 સુધી જઈ શકે છે.

Reliance Industries ના રોકાણકારો માટે ખુશખબર, RILનો શેર 3,400 ની સપાટી બતાવશે તેવું વિદેશી બ્રોકરેજ હાઉસનું અનુમાન
Mukesh Ambani , Chairman - RIL
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 6:40 AM
Share

વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે અનુમાન લગાવ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 3,400 સુધી જઈ શકે છે. તેના આધારે તેને 45% લાભ મળવાની આશા છે. બીજી તરફ દેશના સૌથી ધનિક કારોબારીએ તેમના ઉત્તરાધિકારની પ્રક્રિયા પણ તેજ બનાવી છે.

RIL ના ઉતાર – ચઢાવ ઉપર નજર

માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની છે. સોમવારે તેનો સ્ટોક નજીવો વધીને રૂ. 2,437 પર બંધ થયો હતો. તે 19 ઓક્ટોબરના રોજ રૂ. 2,750 અને 29 જાન્યુઆરી, 2021ના રોજ રૂ. 1,839 પર હતો. આ બંને સ્તર એક વર્ષના ઉપલા અને નીચલા સ્તરના હતા.

શેરમાં તેજીના અનુમાન

જેફરીઝે જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક 2021માં નિફ્ટી-50માં 5% ઘટાડા સાથે બંધ થયો હતો. આ કારણે તે હવે તેજી દેખાડી શકે છે. તેની રિટેલ અને ટેલિકોમ કંપનીઓ તેના માટે મુખ્ય ગ્રોથ હશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ કંપની Jio દ્વારા ટેરિફમાં વધારો કરવાથી તેની આવકમાં વધારો થશે. સાથે જ રિટેલ પણ સારો બિઝનેસ કરશે.

Jio આ વર્ષે લિસ્ટ થઈ શકે છે

રિલાયન્સ જિયો આ વર્ષે પોતાનો ઈશ્યૂ લઈને આવી શકે છે. વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તે આ વર્ષે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. Jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. તેના 43 કરોડથી વધુ ગ્રાહકો છે. તેનું માર્કેટ વેલ્યુએશન 5 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.

આ શેર્સના અનુમાન ઉપર એક નજર

મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે કે ટેક મહિન્દ્રાનો શેર વધશે. તેની આવક વૃદ્ધિ સારી રહેશે. બ્રોકરેજ હાઉસ ક્રેડિટ સુઈસનો અંદાજ છે કે ડીમાર્ટ ચલાવતી કંપની એવન્યુ સુપર માર્ટનો સ્ટોક નબળો રહી શકે છે. તે 3,600 રૂપિયા સુધી જઈ શકે છે. જો કે ગયા વર્ષે સ્ટોક રૂ. 5,899 હજારની સપાટીએ પહોંચ્યો હતો. 29 જાન્યુઆરી, 2021ના રોજ શેર રૂ. 2,610 પર હતો. સોમવારે, તે 2% ઘટીને રૂ. 4,642 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ પણ વાંચો : PMJDY: જનધન ખાતામાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા થયા,જાણો યોજનાના આ લાભ વિશે વિગતવાર

આ પણ વાંચો : રાહતના સમાચાર : ઓપેક દેશોની આ પહેલથી ટૂંક સમયમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાનથી જમીન પર ઉતરશે

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">