AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Industries ના રોકાણકારો માટે ખુશખબર, RILનો શેર 3,400 ની સપાટી બતાવશે તેવું વિદેશી બ્રોકરેજ હાઉસનું અનુમાન

વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે અનુમાન લગાવ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)નો શેર રૂ. 3,400 સુધી જઈ શકે છે.

Reliance Industries ના રોકાણકારો માટે ખુશખબર, RILનો શેર 3,400 ની સપાટી બતાવશે તેવું વિદેશી બ્રોકરેજ હાઉસનું અનુમાન
Mukesh Ambani , Chairman - RIL
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 6:40 AM
Share

વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે અનુમાન લગાવ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 3,400 સુધી જઈ શકે છે. તેના આધારે તેને 45% લાભ મળવાની આશા છે. બીજી તરફ દેશના સૌથી ધનિક કારોબારીએ તેમના ઉત્તરાધિકારની પ્રક્રિયા પણ તેજ બનાવી છે.

RIL ના ઉતાર – ચઢાવ ઉપર નજર

માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની છે. સોમવારે તેનો સ્ટોક નજીવો વધીને રૂ. 2,437 પર બંધ થયો હતો. તે 19 ઓક્ટોબરના રોજ રૂ. 2,750 અને 29 જાન્યુઆરી, 2021ના રોજ રૂ. 1,839 પર હતો. આ બંને સ્તર એક વર્ષના ઉપલા અને નીચલા સ્તરના હતા.

શેરમાં તેજીના અનુમાન

જેફરીઝે જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક 2021માં નિફ્ટી-50માં 5% ઘટાડા સાથે બંધ થયો હતો. આ કારણે તે હવે તેજી દેખાડી શકે છે. તેની રિટેલ અને ટેલિકોમ કંપનીઓ તેના માટે મુખ્ય ગ્રોથ હશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ કંપની Jio દ્વારા ટેરિફમાં વધારો કરવાથી તેની આવકમાં વધારો થશે. સાથે જ રિટેલ પણ સારો બિઝનેસ કરશે.

Jio આ વર્ષે લિસ્ટ થઈ શકે છે

રિલાયન્સ જિયો આ વર્ષે પોતાનો ઈશ્યૂ લઈને આવી શકે છે. વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તે આ વર્ષે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. Jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. તેના 43 કરોડથી વધુ ગ્રાહકો છે. તેનું માર્કેટ વેલ્યુએશન 5 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.

આ શેર્સના અનુમાન ઉપર એક નજર

મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે કે ટેક મહિન્દ્રાનો શેર વધશે. તેની આવક વૃદ્ધિ સારી રહેશે. બ્રોકરેજ હાઉસ ક્રેડિટ સુઈસનો અંદાજ છે કે ડીમાર્ટ ચલાવતી કંપની એવન્યુ સુપર માર્ટનો સ્ટોક નબળો રહી શકે છે. તે 3,600 રૂપિયા સુધી જઈ શકે છે. જો કે ગયા વર્ષે સ્ટોક રૂ. 5,899 હજારની સપાટીએ પહોંચ્યો હતો. 29 જાન્યુઆરી, 2021ના રોજ શેર રૂ. 2,610 પર હતો. સોમવારે, તે 2% ઘટીને રૂ. 4,642 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ પણ વાંચો : PMJDY: જનધન ખાતામાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા થયા,જાણો યોજનાના આ લાભ વિશે વિગતવાર

આ પણ વાંચો : રાહતના સમાચાર : ઓપેક દેશોની આ પહેલથી ટૂંક સમયમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાનથી જમીન પર ઉતરશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">