AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Muhurat Trading 2022 : મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ સાથે બંધ રહ્યો, જાણો કોણ રહ્યું Top Gainer

સેન્સેક્સ 496.87 અંક અથવા 0.84% વધારા સાથે 59,804.02 ઉપર ખુલ્યો હતો તો બીજી તરફ નિફટીએ 17,736.35 અંક સાથે કારોબારનો પ્રારંભ  કર્યો હતો. ઇન્ડેક્સમાં 160.05 પોઇન્ટ મુજબ 0.91% નો વધારો નોંધાયો હતો. શુક્રવારે નિફટી 17,576.30 ઉપર બંધ થયો હતો તો સેન્સેક્સએ 59,307.15 ઉપર કારોબાર સમાપ્ત કર્યો હતો. 

Muhurat Trading 2022 : મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ સાથે બંધ રહ્યો, જાણો કોણ રહ્યું Top Gainer
Muhurat Trading
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 6:07 AM
Share

શેરબજાર(Share Market)માં સંવત 2079ના પ્રથમ સત્રમાં સેન્સેક્સ 524.51 પોઈન્ટ અથવા 0.88 ટકાના વધારા સાથે 59,831.66 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 154.45 પોઈન્ટ અથવા 0.88 ટકાના વધારા સાથે 17730.75 પર બંધ થયો હતો. દિવાળીના દિવસે સાંજે 6:15 થી 7:15 સુધી એક કલાક માટે મુહૂર્તનો વેપાર(Muhurat Trading) થયો હતો. BSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઉપર છે. જેમાં ટેલિકોમ, ફાયનાન્સિયલ સર્વિસીસ, બેંક, ઈન્ડસ્ટ્રીયલ અને પાવર સેક્ટર મોખરે છે.સેન્સેક્સ વિશે વાત કરીએ તો નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, એસબીઆઈ, એચડીએફસી, એચડીએફસી બેંક અને ડો રેડ્ડીઝ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર છે. આ શેરોમાં 2.92 ટકા સુધીનો વધારો થયો છે. માત્ર બે જ શેર ઘટાડા સાથે બંધ થયા હતા. જેમાં હિન્દુસ્તાન યુનિલિવર અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે. આ શેર 3.05 ટકા સુધી ઘટ્યા છે.

વેપાર જગતમાં નવા વર્ષની શરૂઆત દિવાળીના દિવસથી માનવામાં આવે છે. દિવાળીનો તહેવાર ધન અને સમૃદ્ધિની કામના સાથે પણ જોડાયેલો છે. આવી સ્થિતિમાં શેરબજાર આ દિવસના શુભ મુહૂર્તમાં નવું વર્ષ એટલે કે સંવત 2079 શરૂ કરે છે. જેની સાથે તે ઈચ્છે છે કે આવનારું વર્ષ ધન અને સમૃદ્ધિથી ભરેલું હોય.

મુહૂર્ત ટ્રેડિંગ એ સ્થાનિક શેરબજારની પરંપરાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. સૌ પ્રથમ, વર્ષ 1957 માં બજારમાં મુહૂર્ત વેપાર શરૂ થયો ત્યારથી આ પ્રક્રિયા સતત ચાલી રહી છે. બ્રોકર્સનું કહેવું છે કે સંવત 2079ના પ્રથમ સત્રમાં રોકાણકારોએ તેમના પુસ્તકો ખોલ્યા હોવાથી ખરીદીની પ્રવૃત્તિમાં તેજી આવી હતી.

શેરબજારમાં દિવાળીના દિવસે એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા પાંચ દાયકા કરતાં પણ જૂની છે. મુહૂર્ત વેપારની પ્રથા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં 1957માં અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં 1992માં શરૂ થઈ હતી. નિષ્ણાતો કહે છે કે મુહૂર્ત વેપાર સંપૂર્ણપણે પરંપરા સાથે સંબંધિત છે. મોટાભાગના લોકો આ દિવસે શેર ખરીદવાનું પસંદ કરે છે જો કે આ રોકાણો સામાન્ય રીતે ખૂબ નાના અને પ્રતીકાત્મક હોય છે.

સેન્સેક્સ 496.87 અંક અથવા 

Follow Us
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
g clip-path="url(#clip0_868_265)">