DMart Q4 : ચોથા ક્વાર્ટરમાં DMart એ 426 કરોડ રૂપિયાનો નફો કર્યો, કંપનીની આવકમાં પણ વધારો થયો

ડી-માર્ટ કંપનીના માલિક રાધાકિશન દામાણી(Radhakishan Damani) છે જેનું નામ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સામેલ છે. દામાણી સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર, સ્ટોક બ્રોકર, ટ્રેડર અને ડી-માર્ટ કંપનીના સ્થાપક તરીકે ઓળખાય છે.

DMart Q4 : ચોથા ક્વાર્ટરમાં DMart એ 426 કરોડ રૂપિયાનો નફો કર્યો, કંપનીની આવકમાં પણ વધારો થયો
Radhakishan Damani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 7:25 AM

રાધાકિશન દામાણી(Radhakishan Damani)ની કંપની એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ(Avenue Supermarkets Ltd.) જે રિટેલ ચેઇન ડી-માર્ટ(DMart)નું સંચાલન કરે છે તેણે માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં 3.11 ટકાનો  ચોખ્ખો નફો રૂ. 426.75 કરોડ નોંધાવ્યો હતો. એવન્યુ સુપરમાર્ટ્સે BSEને માહિતી આપી હતી કે એક વર્ષ અગાઉ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ. 413.87 કરોડ હતો. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક 18.55 ટકા વધીને રૂ. 8,786.45 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 7,411.68 કરોડ હતી. તે જ સમયે કુલ ખર્ચ 18.71 ટકા વધીને રૂ. 8,210.13 કરોડ થયો છે જે ગયા વર્ષે રૂ. 6,916.24 કરોડ હતો.

સંપૂર્ણ નાણાકીય વર્ષ 2021-22 માટે કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 35.74 ટકા વધીને રૂ. 1,492.40 કરોડ થયો છે જે વર્ષ 2020-21માં રૂ. 1,099.43 કરોડ હતો. તેવી જ રીતે નાણાકીય વર્ષ 2021-22માં કામગીરીમાંથી આવક 28.3 ટકા વધીને રૂ. 30,976.27 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉ રૂ. 24,143.06 કરોડ હતી. એવન્યુ સુપરમાર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર નેવિલ નોરોન્હાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ત્રિમાસિક કામગીરી અને અનુભવે બિઝનેસની સ્થિતિસ્થાપકતા અને ટૂંકા ગાળાની રિકવરીમાં વિશ્વાસ જગાડ્યો છે.

જાણો રાધાકિશન દામાણી વિશે

ડી-માર્ટ કંપનીના માલિક રાધાકિશન દામાણી(Radhakishan Damani) છે જેનું નામ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સામેલ છે. દામાણી સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર, સ્ટોક બ્રોકર, ટ્રેડર અને ડી-માર્ટ કંપનીના સ્થાપક તરીકે ઓળખાય છે. દામાણીએ સાધારણ સ્ટોક બ્રોકરમાંથી ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. રાધાકિશન દામાણીનો જન્મ 1954માં મુંબઈના મારવાડી પરિવારમાં થયો હતો. તેમના પિતા શિવ કિશન દામાણી પણ તેમના સમયમાં સ્ટોક બ્રોકર હતા. રાધાકિશન દામાણીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી B.Com નો અભ્યાસ કર્યો છે. એક વર્ષ અભ્યાસ કર્યા પછી તેમણે કોલેજ છોડી દીધી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

રાધાકિશન દામાણીએ તેમના વ્યવસાયની શરૂઆત બોલ બેરિંગના વ્યવસાયથી કરી હતી. તેમના પિતા શિવ કિશન દામાણીના અવસાન પછી તેમણે શેરબજારના બ્રોકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. દામાણીનો ધંધો હજુ ચાલી શક્યો ન હતો આ દરમિયાન પિતાના નિધન બાદ તેમણે મજબૂરીમાં શેરબજારનું કામ શરૂ કર્યું.

ડી માર્ટ આટલું સફળ કેવી રીતે થયું?

ડી માર્ટની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના સ્થાપક રાધાકિશન દામાણીને જાય છે. જેમણે આવી સુપરમાર્કેટ ચેઈન બનાવી છે જે લોકો માટે તેમજ પોતાના માટે પણ ફાયદાકારક છે. રાધકિશન દામાણી પોતે એક મધ્યમવર્ગીય પરિવારના છે તેથી તેઓ સામાન્ય માણસની જરૂરિયાતો જાણે છે. આ ઉપરાંત તે શેરબજારના નિષ્ણાત પણ છે જેના કારણે તે સારી રીતે જાણે છે કે કઈ જગ્યાએ કેવી રીતે રોકાણ કરવું જેથી તે નફાકારક રહે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">