AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Transmission Q4 Results: અદાણી ટ્રાન્સમિશનએ પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા, કંપનીએ 433 કરોડનો નફો નોંધાવ્યો

કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 30 જૂન 2020 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો નેટ પ્રોફિટ રૂ 355.40 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક વધીને રૂ 2,935.72 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 2,542.84 કરોડ હતી .

Adani Transmission Q4 Results: અદાણી ટ્રાન્સમિશનએ પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા, કંપનીએ 433 કરોડનો નફો નોંધાવ્યો
Gautam Adani (chairman and founder of the Adani Group)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 7:10 AM
Share

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ની આગેવાની હેઠળના અદાણી ગ્રુપ(Adani Group)ની કંપની અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) એ તેના જૂન ક્વાર્ટરના પરિણામો ગુરુવારે જાહેર કર્યા છે. સારી કમાણીને કારણે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ લગભગ 22 ટકા વધીને 433.24 કરોડ રૂપિયા થયો છે.

કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 30 જૂન 2020 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો નેટ પ્રોફિટ રૂ 355.40 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક વધીને રૂ 2,935.72 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 2,542.84 કરોડ હતી . ક્વાર્ટર દરમિયાન કંપનીનું વિતરણ નુકસાન જૂન 2021 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 6.88 ટકા હતું જે અગાઉના સમયગાળામાં 13.47 ટકા હતું.

પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં અદાણી ગ્રુપ પ્રવેશ કરશે તાજેતરમાં અદાણી ગ્રુપે નવી પેટાકંપનીની રચના કરી છે જે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને હાઇડ્રોજન પ્લાન્ટ્સ સ્થાપશે. અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ્સે સ્ટોક એક્સચેન્જની માહિતીમાં જણાવ્યું હતું કે તેણે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (APL) ને સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સામેલ કરી છે, જે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ સંકુલ, વિશેષ રાસાયણિક એકમો, હાઇડ્રોજન અને સંબંધિત કેમિકલ પ્લાન્ટની સ્થાપનાનું કામ કરશે

તાજેતરમાં અદાણી ગ્રુપે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જવાબદારી સંભાળી છે તાજેતરમાં અદાણી ગ્રુપે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે. ગ્રુપએ ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપનો હિસ્સો હસ્તગત કરશે. આ સોદા બાદ અદાણી ગ્રુપ મુંબઈના છત્રપીત શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો ધરાવશે. આમાંથી 50.5 ટકા જીવીકે ગ્રુપ પાસેથી અને બાકીના 23.5 ટકા લઘુમતી ભાગીદારો એરપોર્ટ્સ કંપની સાઉથ આફ્રિકા (એસીએસએ) અને બિડવેસ્ટ ગ્રુપ પાસેથી હસ્તગત કરવામાં આવશે.

આ પણ વાંચો :  હવે વિદેશ જતા વિદ્યાર્થીઓને Quarantine ખર્ચની ચિંતા નહિ રહે, વેક્સીન કિંગ Adar Poonawalla કરશે મદદ , જાણો કઈ રીતે મળશે લાભ

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા. જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">