AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના શેરધારકો માટે ખુશીના સમાચાર, કંપનીએ જાહેર કર્યું ડિવિડન્ડ

ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ નિયમિતપણે તેના શેરધારકોને ડિવિડન્ડ આપે છે. ત્યારે કંપનીએ તેના નાણાકીય વર્ષ 2024 માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ તેના શેરધારકોને એક શેર પર રૂપિયા 3.70 લેખે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના શેરધારકો માટે ખુશીના સમાચાર, કંપનીએ જાહેર કર્યું ડિવિડન્ડ
Pipavav port
| Updated on: Sep 19, 2024 | 6:48 PM
Share

ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના શેરધારકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કંપનીએ વર્ષ 2023-24નું અંતિમ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, 22 ઓગસ્ટ, 2024ના રોજ મળેલી કંપનીની સામાન્ય સભામાં ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે હવે કંપનીએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે.

કંપની નિયમિતપણે તેના શેરધારકોને ડિવિડન્ડ આપે છે. ત્યારે કંપનીએ તેના નાણાકીય વર્ષ 2024 માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ તેના શેરધારકોને એક શેર પર રૂપિયા 3.70 લેખે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

કંપનીના શેરની વાત કરીએ તો, આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ 0.17 ટકાના વધારા સાથે 220.75 પર બંધ થયો હતો. કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો, 10,576 કરોડનું છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, જ્યારે આ શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 74 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીના શેરની 52 વીક હાઈ વેલ્યુ 250 રૂપિયા છે, જ્યારે 52 વીક લો વેલ્યુ 116 રૂપિયા છે.

ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (GPPL) જેને APM ટર્મિનલ્સ પીપાવાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતના અમરેલી જિલ્લામાં સ્થિત એક મુખ્ય ખાનગી બંદર છે. તે ભારતમાં ખાનગી ક્ષેત્રમાં વિકસિત થયેલા પ્રથમ બંદરોમાંનું એક છે અને તેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. તે APM ટર્મિનલ્સ દ્વારા સંચાલિત છે, જે વિશ્વના સૌથી મોટા શિપિંગ અને ટર્મિનલ ઓપરેટરોમાંના એક છે અને તેનું મુખ્ય મથક ડેનમાર્કમાં છે.

આ બંદર ભારતના આર્થિક વિકાસમાં ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તરીય પ્રદેશોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાત પીપાવાવ બંદર ભારતના દરિયાઈ વેપાર અને લોજિસ્ટિક્સમાં નોંધપાત્ર યોગદાન ધરાવે છે, અને તે દેશના સૌથી વિકસિત બંદરોમાંનું એક છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">