AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દૈનિક 30 રૂપિયાથી કમાણી શરૂ કરી 17000 કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું, વાંચો પંજાબના “અંબાણી”ની Success Story

Success Story : 1980ના દાયકામાં રોજના ₹30 ની કમાણી કરતો શ્રમજીવી આજે ₹17000 કરોડના બિઝનેસ એમ્પાયરનો માલિક છે. આ વાત પંજાબના રાજીન્દર ગુપ્તાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુપ્તા પંજાબના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની કુલ સંપત્તિ ₹12368 કરોડથી વધુ છે.

દૈનિક 30 રૂપિયાથી કમાણી શરૂ કરી 17000 કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું, વાંચો પંજાબના અંબાણીની  Success Story
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 6:57 AM
Share

Success Story : 1980ના દાયકામાં રોજના ₹30 ની કમાણી કરતો શ્રમજીવી આજે ₹17000 કરોડના બિઝનેસ એમ્પાયરનો માલિક છે. આ વાત પંજાબના રાજીન્દર ગુપ્તાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુપ્તા પંજાબના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની કુલ સંપત્તિ ₹12368 કરોડથી વધુ છે. તેઓ “પંજાબના ધીરુભાઈ અંબાણી” તરીકે પણ ઓળખાય છે. રાજિન્દર ગુપ્તા ટ્રાઇડેન્ટ ગ્રુપના ચેરમેન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ હજારો કરોડ રૂપિયા છે. રાજીન્દર ગુપ્તા પંજાબના સૌથી ધનિક બિઝનેસમેનમાંથી એક છે. રાજિન્દર ગુપ્તાને વર્ષ 2007માં વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાચો: US Debt Ceiling: અમેરિકામાં હાલ પૂરતો મંદીનો ખતરો ટળ્યો, સંકટમાં ભારતના પણ 224 અબજ ડોલર અટવાયા છે

આ પદ ઉપર કામ કરે છે

આ સિદ્ધિ ઉપરાંત તેઓ ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાં બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત થયા હતા. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશના ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગના ફેડરેશનની સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે પણ કામ કરે છે. ગુપ્તા પંજાબ બ્યુરો ઓફ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશનના બોર્ડ ઓફ ગવર્નર્સમાં વેપાર, ઉદ્યોગ અને વાણિજ્યના પ્રતિનિધિ છે. ખાસ વાત એ છે કે તેણે 9મા ધોરણ પછી અભ્યાસ કર્યો નથી. જે બાદ તેને રોજના 30 રૂપિયામાં કામ કરવાની ફરજ પડી હતી.

30 રૂપિયાથી શરૂ કરીને સામ્રાજ્યનું સર્જન કર્યું

ગુપ્તાએ સિમેન્ટના પાઈપ અને મીણબત્તીઓ બનાવવાની શરૂઆત કરી અને આ માટે તેમને રોજના 30 રૂપિયામળ્યા હતા. 1980ના દાયકામાં તેમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને 1985માં અભિષેક ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. ત્યાર બાદ, તેઓએ 1991માં સંયુક્ત સાહસમાં સ્પિનિંગ મિલની સ્થાપના કરી જેમાં સારી કમાણી થઈ હતી. ગુપ્તાએ તેમના વ્યવસાયને પંજાબમાં પરિવર્તિત કર્યો અને MPએ તેમની પેઢીને કાપડ, કાગળ અને રસાયણ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવી હતી. હવે ગુપ્તાના ટ્રાઇડેન્ટ ગ્રુપના ગ્રાહકોમાં વોલમાર્ટ, જેસીપેની, લક્ઝરી અને લિનન્સનો સમાવેશ થાય છે. જો કે, કુટુંબ અને સ્વાસ્થ્યની ચિંતાઓને ટાંકીને 64 વર્ષીય ગુપ્તાએ 2022 માં ટ્રાઇડેન્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી પદ છોડ્યું હતું પરંતુ લુધિયાણામાં તેનું મુખ્ય મથક ધરાવતા જૂથના ‘ચેરમેન એમેરિટસ’ રહ્યા હતા.

આ પણ વાંચો :Share Market Today : શેરબજારમાં ધીમો કારોબાર, Sensex 63115 ઉપર ખુલ્યો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">