શું SBI બેંકમાં જઈને બદલી શકાય છે ખરાબ કે ફાટેલી નોટ, બેંકે આપી સંપૂર્ણ જાણકારી

શું તમારી પાસે ફાટેલી નોટ છે, અને તમે ચિંતિત છો કે તેનું શું થશે. તો અમે તમને જણાવી દઈએ કે આ બાબતે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમે બેંકમાં જઈને તમારી ક્ષતિગ્રસ્ત નોટો બદલી શકો છો.

શું SBI બેંકમાં જઈને બદલી શકાય છે ખરાબ કે ફાટેલી નોટ, બેંકે આપી સંપૂર્ણ જાણકારી
Soiled or mutilated notes can be exchanged in banks know its rules
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 5:39 PM

શું તમારી પાસે ફાટેલી નોટ છે, અને તમે ચિંતિત છો કે તેનું શું થશે. તો અમે તમને જણાવી દઈએ કે આ બાબતે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમે બેંકમાં જઈને તમારી ખરાબ થઈ ગયેલી અથવા ફાટેલી નોટો બદલી શકો છો. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (Bank State Bank of India – SBI) એ આ જાણકારી આપી છે. એસબીઆઈએ (SBI) ટ્વિટર પર એક યુઝરના (twitter User)  જવાબમાં કહ્યું છે કે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત અથવા થોડી ખરાબ થયેલી ચલણી નોટો (Currency notes) અને તમામ મૂલ્યની અન્ય તમામ પ્રકારની બગડેલી નોટો બેંકની તમામ શાખાઓમાં બદલી શકાય છે. બેંકે વધુમાં કહ્યું છે કે બેંકની કરન્સી ચેસ્ટ શાખા (Bank’s Currency Chest Branch) ક્ષતિગ્રસ્ત ચલણી નોટોને એક્સચેન્જ કરી આપે છે.

SBIના જણાવ્યા અનુસાર, બેંકે તેના ગ્રાહકો તેમજ અન્ય લોકો માટે કરન્સી બદલવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બેંક આ મામલે આરબીઆઈની માર્ગદર્શિકાનું પાલન કરે છે. બેંકે કહ્યું કે આરબીઆઈએ બેંકોને તે ક્ષતિગ્રસ્ત નોટો બદલવાની પરવાનગી આપી છે, જે અસલી છે અને તેમા ખરાબી એવી હોય જેનાથી કોઈ છેતરપિંડી થઈ શકે નહીં.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

સ્ટેટ બેંકે એક ગ્રાહકના પ્રશ્નના જવાબ રૂપે આ વાત કહી છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર બેંકને ટેગ કરીને પૂછ્યું કે તેની પાસે 2000 રૂપિયાની નોટ છે, જે ફાટી ગઈ છે અને તે તેને બદલવા માંગે છે. તેમણે કહ્યું કે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ ફાટેલી નોટો બદલી શકાય છે, પરંતુ બેંકે તેનો ઈન્કાર કરી દીધો હતો. તેણે બેંકના ટ્વિટર હેન્ડલને ટેગ કર્યું અને પૂછ્યું કે તે આગળ શું કરી શકે છે.

ખરાબ થઈ ગયેલી નોટો માટે RBIની માર્ગદર્શિકા

જે નોટ ગંદી થઈ ગઈ હોય અથવા થોડી કપાઈ ગઈ હોય તે ખરાબ થયેલી નોટ ગણાય છે. જે નોટો બંને બાજુએ નંબરવાળી હોય છે, એટલે કે જે નોટ 10 રૂપિયા અને તેનાથી વધુના મૂલ્યની હોય અને જે બે ભાગમાં હોય છે, તેને પણ બગડેલી નોટ ગણવામાં આવે છે. જો કે, આવી નોટોમાં કટ નંબરો પેનલ દ્વારા હાજર ન હોવા જોઈએ.

આ તમામ નોટો કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકના કાઉન્ટર પર જઈને બદલી શકાય છે. આ સાથે, ખાનગી ક્ષેત્રની બેંકની કોઈપણ કરન્સી ચેસ્ટ શાખા અથવા ભારતીય રિઝર્વ બેંકની કોઈપણ ઇશ્યુ ઓફિસની મુલાકાત લઈને તેમને બદલી શકાય છે. આ માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી.

ફાટેલી નોટો માટે સેન્ટ્રલ બેંકના નિયમો

જે નોટ ટુકડાઓમાં વહેચાઈ ગઈ છે અથવા મહત્વપુર્ણ ભાગો ખોવાય ગયા છે. તેને બદલી શકાય છે. ચલણી નોટના આવશ્યક ભાગોમાં નોટને જાહેર કરનાર ઓથોરીટી, ગેરંટી, વચન કલમ, હસ્તાક્ષર, મહાત્મા ગાંધીની તસવીર અથવા અશોક સ્તંભનું ચિત્ર આવે છે. આ નોટોનું રિફંડ મૂલ્ય RBI (નોટ રિફંડ) નિયમો અનુસાર ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો :  EPFO : જો ખાતામાં PF વ્યાજ ન આવ્યું હોય તો ક્યાં કરવી ફરિયાદ? મિસ્ડ કોલ અને SMS સહીત આ 4 રીતે તપાસો તમારું બેલેન્સ

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">